સુરત અને ઓલપાડ તાલુકામાં સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવ મામલો જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટૂંક જ સમયમાં હવે અતિક્રમણ ને દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરવા માટેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. જે માટે મેન પાવર સાથેની વ્યવસ્થા કરવા અંગેના સૂચનો કલેકટર તરફથી અલગ અલગ સરકારી વિભાગોને આપવામાં આવ્યા છે.
ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કાર્યવાહી
ઝીંગા તળાવોની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી
પંદર દિવસનું મહોલત
સુરત જિલ્લા કલેકટર કચેરીમાં મહત્વની બેઠક મળી હતી જેમાં ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરવા અંગેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ મામલતદારો,નાયબ મામલતદારો,ફિશર વિભાગના અધિકારીઓ સહિત જીપીસીબી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કિંમ નદીના પટ પર ગેરકાયદે ઝીંગા તળાવોના અતિક્રમણના મુદ્દે આ બેઠક યોજાઇ હતી.એનજીટીના આદેશ બાદ ઓલપાડ તાલુકામાં ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવા કલેકટરે અગાઉ હુકમ કર્યો હતો. જ્યાં પંદર દિવસનું મહોલત આપવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કાર્યવાહી
જો કે હજી સુધી દબાનો દૂર કરવામાં આવ્યા નથી. જ્યાં બેઠકમાં ઝીંગા તળાવો ને દૂર કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા અને ચોર્યાસીમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ મામલે મોટાભાગના ગામોમાં માપણી કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર ઝીંગા તળાવને દુર કરવા મેનપાવર માટે સંકલન સાંઢવામાં આવ્યું હતું. 27મી જાન્યુઆરી થી ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાશે.
ઝીંગા તળાવોની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી
જિલ્લા કલેકટર ધવલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,૧૪ જેટલા ગામોમાં ઝીંગા તળાવોની માપણી થઇ ચૂકી છે. અન્ય ત્રણ ગામોમાં માપણી બાકી હોવાના કારણે દબાણ દૂર કરવાની કામગીરીમાં વિલંબ થયો છે.તમામ પોલીસ સ્ટાફ, જીપીસીબીના અધિકારીઓ, ફિશરિઝ વિભાગના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે. સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર જીંગા તળાવોને ટૂંક જ સમયમાં દૂર કરવામાં આવશે.સરકાર તરફથી ફાળવવામાં આવેલા ઝીંગા તળાવોની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.જેમાં મોટાભાગ ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.જ્યાં 27 મી જાન્યુઆરી થી ઓલપાડ તાલુકામાં તમામ સ્ટાફ સાથે ગેરકાયદે ઝીંગા તળાવોના અતિક્રમણ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.