છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જેને લઇને શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કીમ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે. કીમ નદી ભયજનક સપાટીએ પહોંચતા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મીઠીખાડી ભયજનક સપાટીએ પહોંચી છે. જ્યારે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
કીમ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે
સુરતમાં હજી પણ વરસાદી કહેર યથાવત્ છે.. ભારે વરસાદ થતા કીમ નદીમાં પાણીની આવક થઈ છે.. ઘોડાપૂર આવતા કીમ નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદની આગાહીને લઈને નદીના કાંઠાના વિસ્તારના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહી છે.. ત્યારે હવે રેસ્ક્યુની ટીમને પણ એલર્ટ રહેવાના આદેશ અપાયા છે.
100 ઘર પાણીમાં ગરકાવ, SDRFએ ફસાયેલાનું કર્યું રેસ્ક્યુ
સુરતની કીમ નદીમાં પાણીની આવક થતા કિનારાના ગામો અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઓલપાડના કઠોદરા ગામે આવેલ સાઇ શક્તિ સોસાયટીમાં પાણી ભરાયા છે. 100 જેટલા ઘરો પાણીમાં ગરકાવ થતા SDRFની ટીમ દ્વારા 100થી વધુ લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જ્યારે મોટા બોરસરા ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હળપતિ વાસ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકોએ મળીને ફસેયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથધરી છે. કીમ નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.
સુરતમાં માતા અને નવજાત બાળકનુ રેસ્ક્યુ
સુરતના કઠોદરા ગામમાંથી માતા અને નવજાત બાળકનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાની કીમ નદી બે કાંઠે વહી રહી છે. કીમ નદીમાં સતત પાણીની આવક થતા નદી ગાંડીતૂર બની હતી. ત્યારે કીમ નદીના પાણી કઠોદરા ગામમાં ફરી વળ્યા છે. જેમાં નવજાત બાળક અને માતા ફસાઇ જતા સ્થાનિકોએ તેમનું રેસ્ક્યું કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ઉપરવાસમાં ધોધમાર વરસાદથી સુરતમાં પાણી ભરાઇ ગયા છે. સુરતની મીઠીખાડી હાલ ભયજનક સપાટીએ પહોંચી છે. મીઠીખાડી નજીકના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. જ્યારે રઝા ચોકમાં પાણી ભરાઇ જતા 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
બ્રિજ અને બજાર માર્ગ પર પાણી-પાણી
સુરતમાં ભારે વરસાદથી સાયણમાં પાણી ભરાયા ગયા છે. બ્રિજ અને બજાર માર્ગ પર પાણી-પાણી થઇ ગયા છે. માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે.
ઝીંગા તળાવમાં ફસાયેલા 32 લોકોનું રેસ્ક્યુ
નવસારીના ઝીંગા તળાવમાં ફસાયેલા 33 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. તમામ 33 લોકોને નવસારીથી એરલિફ્ટ કરી અને સુરત લાવવામાં આવ્યા છે. ઝીંગા તળાવમાં ફસાયેલા 33 લોકોને સુરત એરપોર્ટ લાવવામાં આવ્યા છે.