સુરતના કતારગામના કાસાનગર વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બનાવ્યો છે. આગની માહિતી મળતા 9 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
કતારગામના કાસાનગર વિસ્તારની ઘટના
ગોડાઉનની આસપાસના ઘર ખાલી કરાવાયા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના કતારગામના એક ભીષણ આગનો બનાવ બન્યો છે. કતારગામના કાસાનગર વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભ ભભૂકી ઉઠી છે.
કતારગામન કાસાનગરમાં આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જો કે હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
પ્રાથમિક મળતી માહિતી અનુસાર લાકડાના ગોડાઉનમાં શોર્ટસર્કિટથી આગ લાગાી હોવાની આશંકા છે. એક મળતી માહિતી મુજબ આગમાં કેટલાક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. લાકડાના ગોડાઉનમાં આગ પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સુરતમાં કતારગામના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ બન્યો છે. કતારગામના કાસાનગર વિસ્તારમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં આગ લાગતા તંત્ર તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સાવચેતીના પગલે આસપાસના ઘર ખાલી કરાવામાં આવ્યાં છે.
જો કે લાકડાના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ આગની ઝપેટમાં અનેક વાહનો બળીને ખાખ થયેલા જોવા મળ્યાં છે. આ સાથે આગ એટલી ભયંકર જોવા મળી કે થોડા સમય માટે સ્થાનિકોમાં અફરાતફરીનો માલો જોવા મળ્યો.