સુરત શહેરના કતારગામના નવનિર્મિત બ્રિજના નિર્માણના કામમાં વિપક્ષ દ્વારા બ્રિજના કામમાં બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ બેદરકારી કરવામાં આવી રહી હોવા છતા તંત્ર મૌન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. બ્રિજના નિર્માણમાં કાટ લાગેલા સળિયા કેમ વપરાયા? ખુલ્લેઆમ બેદરકારી છતાં તંત્રનું સુચક મૌનને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે.
સ્ટીલ વાપરવા લાયક છે કે નહી તે અંગે નથી કરાયુ ચેકિંગ
તપાસ કરાય તો મોટી ક્ષતિઓ બહાર આવે તેવી શક્યતાે
કતારગામ બ્રિજ નિર્માણમાં બેદરાકીરનો આક્ષેપ
સુરત શહેરના કતારગામમાં બ્રિજનું નિર્માણ થઇ રહ્યું છે. જો કે વિપક્ષ દ્વારા તંત્ર પર બ્રિજના કામમાં બેદરાકીરનો આક્ષેપ કરાયો છે. જેમાં જણાવાયું છે કે બ્રિજના કામમાં કાટ લાગેલા સળીયા વાપરવામાં આવે છે. સળિયાને કલર કરીને પણ વાપરામાં આવતા નથી.
બ્રિજના નિર્માણમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ બેદરકારી
સુરત શહેરના કતારગામના બ્રિજ નિર્માણમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ બેદરકારી કરવામાં આવી હોવા છતાં તંત્ર મૌન છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે તેમ છતાં આ મામલે કોઇપણ કાર્યવાહી કરાતી નથી. મનપા અધિકારીઓ દ્વારા બ્રિજમાં કરવામાં આવી રહેલા કામનું ચેકિંગ પણ કરાતું નથી. સ્ટીલ વાપરવા લાયક છે કે નહીં તે અંગે પણ ચેકિંગ કરાતું નથી.
વિપક્ષ દ્વારા તપાસ કરવાની માગ કરાઇ
કતારગામના બ્રિજના નિર્માણમાં બેદરાકીરીનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જેમાં જણાવાયું છે કે તંત્ર દ્વારા બ્રિજ નિર્માણને લઇને કોઇપણ કામનું ચેકિંગ કરવામાં આવતું નથી. આ ઘટનામાં તપાસ કરવામાં આવે તો મોટી ક્ષતિઓ બહાર આવે તેવી શક્યતા છે. જો કે આ ઘટના બાદ તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે. બ્રિજ બન્યા બાદ કોઇ ઘટના થાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ સામે આવી રહ્યો છે.