સુરતમાં અનલોક 1 બાદ સુરતમાં ગુનાખોરી પણ બેફામ બની છે સુરતના ડીંડોલી વિસ્તારમાં કુખ્યાત બુટલેગર શંકર નીકમ ઉર્ફે કાલુંની હત્યા કરી દેવામાં આવી હતી. કાલુના ઘર પાસે જ 10 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
સુરતમાં બુટલેગર કાલુની હત્યા
10 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી
એક હજાર લોકો અંતિમયાત્રામાં જોડાયા
સુરતના નવાગામ સાંઈનગરમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહીં ઉમટી પડેલા લોકો 'કાલુભાઈ અમરો રહો'ના નારા લગાવી રહ્યા હતા. આ કાલુ બુટલેગરનું મોત થયું છે. તે એક બુટલેગર હતો. તેની પુરા વિસ્તારમાં ધાક હતી. પરંતુ ગઈકાલે એક ઘટના સામે આવી તેના કારણે બદનામ બુટલેગર મોતમાં ખાટી ગયો.
બુટલેગર કાલુ પર એકસાથે 9 લોકોએ કર્યો હુમલો ?
આ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બુટલેગર કાલુ કારમાં બેઠો હતો અને 9 શખ્સ હાથમાં ધારદાર તલવાર અને છરી સાથે અચાનક આવ્યા હતા. એક સંપ થઈ તમામ લોકોએ કાલુ પર હુમલો કર્યો હતો. આડેધડ છરીના ઘા મારીને કાલુની હત્યા કરી નાખી હતી. એક બાજુ 9 લોકો હતા જ્યારે સામે પક્ષે એકલો કાલુ હતો. આડેધડ છરાવાળી થઈ હતી. આ ખૂની હોળીમાં કાલુને છરીના એક બાદ એક 10 ઘા લાગી જતા તેનું મોત થયું હતું.
કોણ હતો બુટલેગર કાલુ?
કાલુ ઉર્ફ શંકર નામદેવ નિકમ. તે વર્ષોથી બુટલેગર છે. તે નવાગામ સાંઈનગરમાં રહેતો હતો. દિવાળી હોય કો દશેરા આ કાલુ કોઈથી ડરતો ન હતો. હંમેશા દારૂની હેરાફેરી કરતો હતો. વર્ષો પહેલા ઉઘના ભીમનગર વસાહતમાં રહેતો હતો. ત્યારથી તે ત્યાં દારૂનો મોટાપાયે વેચાણ કરતો હતો. મધરાત્રે નવાગામમાં રેલવે ટ્રેકથી આગળ સાંઈનગર સોસાયટીમાં તેના જ ઘરની બહાર આઠથી 9 જણાએ ચપ્પુથી હુમલો કરીને હત્યા કરી નાખી. કાલુનું પોસ્ટ મોર્ટમ સ્મીમેર હોસ્પિટલમાં કરાયું હતું. ત્યાં સેંકડો લોકો ભેગા થયા હતા. ત્યાંથી કાલુના મૃતદેહને ભીમનગર વસાહતમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં હજારો લોકો તેની અંતિમયાત્રામાં જોડાયા હતા. ત્યાંથી તેનો મૃતદેહ તેના ઘરે નવાગામ સાંઈનગર લાવવામાં આવ્યો હતો. ત્યાં પણ હજારો લોકો તેની અંતિમયાત્રામાં જોડાયા હતા. તેની અંતિમયાત્રાના સમયે એસઆરપી ગોઠવી દેવાઈ હતી.
400 ડાઘુઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
કાલુની અંતિમ યાત્રામાં જોડાનારા 400થી વધુના ટોળા સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસ સમજી જ ન શકી કે અંતિમ યાત્રામાં આટલા બધા લોકો જોડાશે. કાલુની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ માહોલ જોઈને સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. કાલુની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તેથી સોસિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડ્યા હતા.
શા માટે કાલુભાઈ અમર રહોના નારા લાગ્યા ?
સ્થાનિક લોકોની પુછપરછમાં એક વાત સામે આવી કે કાલુ બુટલેગર હતો. તે વાત સત્ય છો. તે રાત દિવસ દારૂની હેરાફેરી પણ કરતો હતો. પોલીસ માટે બુટલેગર હતો. પરંતુ સ્થાનિક લોકો માટે દયાવાન હતો. લૉકડાઉનમાં લોકો જમાડતો હતો. જે લોકોને પૈસાની જરૂર હોય તેવા લોકોને આર્થિક પણ મદદ કરતો હતો. બસ આ એક કારણને કારણે કાલુભાઈ અમર રહો તેવા નારા લાગ્યા હતા. પુરા વિસ્તારમાં કોઈ નેતા મત્યું પામ્યો હોય તેવો માહોલ હતો. એક બુટલેગરની આટલી બધી લોકપ્રિયતા હોય તેવું પહેલી વખત જોવા મળ્યું હતું.
કોણ છો બુટલેગર કાલુના કાતિલ ?
કાલુની હત્યા 9 શખ્સોએ કરી છે. પોલીસે તેમાંથી પાંચને ઝડપી પણ લીધા છે. પરંતુ કોરોના ટેસ્ટ બાદ તેની પુછપરછ કરવામાં આવશે. જેમાં કિરણ ઉર્ફ માયા, અશોક ઠાકર, ગુરમુખસિંગ ક્રિપાલસિંગ સરદાર, સન્ની ઉર્ફ કિશન ઉર્ફ સોન્યા બાપુ પાટીલ, અક્ષય રવિદ્ર પાટીલ, રાકેશ ઉર્ફ રાકિયા દાદાભાઈ ભામર આ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના શિવમ લામ્બા વાળો, પવન રૂપેશ મરાઠે આ બન્ને ફરાર છે. જે આરોપીએ હત્યાને અંજામ આપ્યો છે. તે તમામ શખ્સો ગુનાની દુનિયાના જુના ખેલાડી છે. અગાઉ અનેક વખત જેલની હવાખાય ચુક્યા છે. આરોપી કિરણ ઉર્ફ માયા વિરૂદ્ધ કાલુની હત્યા સહિત બે હત્યા મળીને કુલ 11 ગુના છે. જેમાં દારૂ અને ચોરીના પણ છે. આરોપી ગુરમુખસિંગ વિરૂદ્ધ પાંડેસરામાં મારામારીનો અને રાકેશ ઉર્ફ રાકિયા વિરુદ્ધ ચોરી અને દારૂનો ગુનો છે.
શા માટે કાલુની હત્યા કરાઈ ?
કાલુની હત્યા પાછળ એક ઘટના છે. આ ઘટના બે દિવસ પહેલા સામે આવી હતી. ભીમનગર એસએમસી આવાસમાં રહેતા ગણેશ વાઘ ઉપર શુક્રવારે હુમલો થયો હતો. અજ્જુ ઉર્ફ અજય ગણેશનો ખાસ મિત્ર છે. અજ્જુનું માનવું હતું કે કાલુએ જ ગણેશ પર હુમલો કરાવ્યો છે. તેથી અજ્જુએ તેના સાગરીતો સાથે મળીને શનિવારે મધરાત્રે કાલુની હત્યા કરી નાખી. બસ આ એક કારણને કાલુની હત્યા કરી દેવામાં આવી છે. ગણેશ વાઘ પર કાલુએ હુમલો કરાવ્યો હતો કે નહી તેની હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી.
ગંદા હૈ ફિર ભી ધંધા હૈ
ગુનાની દુનિયામાં કાલુ એક બુટલેગર હતો. અનેક વખત જેલની હવા ખાઈ ચૂક્યો છે. ચોરી અને હત્યા જેવા અનેક ગુનાઓમાં જેલ જઈ ચુક્યો હતો. પરંતુ દારૂનો વેપલો કરી પૈસા કમાવા તેની ઘગશ હતી. આ માટે ગમે તેવા સંજોગ દારૂની હેરાફેરી કરતો હતો. તે એકજ વાતને માનતો હતો ગંદા હૈ ફિર ભીર ધંધા હૈ.