સુરતના જોળવામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો છે, મુખ્ય આરોપી દયાચંદ પટેલને ફાંસીની સજા તો અન્ય આરોપીને પણ સજા ફટકારી છે.
બાળકી સાથે દુષ્કર્મ આચરનારાને કડક સજા
એકને ફાંસી, અન્ય આરોપીને આજીવન કેદની સજા
બારડોલી સેશન્સ કોર્ટનો ચુકાદો
સુરતના જોળવામાં થયેલ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે કોર્ટે સજા ફટકારી છે. આરોપીઓએ 11વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરી રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. જે આરોપીઓને કોર્ટે આજે સજા સંભળાવી છે.
બારડોલી સેસન્સ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો
20 ફેબ્રુઆરી 2022ના રોજ 11 વર્ષની માસુમ બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા કરી રૂમમાં પુરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જે કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે એતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, બારડોલી સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ જજ બી. જી. ગોલાણીએ ખુલ્લી અદાલતમાં ચુકાદો સંભળાવ્યો છે. જોળવાના બિહારી પરિવારની માસુમ બાળકીને ન્યાય મળ્યો છે.
અગાઉ પણ આરોપીને ફટકારી હતી ફાંસીની સજા
અગાઉ સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ હતી. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસી સજા આપી છે તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો.
સુરતમાં એક કેસમાં 20 વર્ષની સજા
અગાઉ કિશોરી પર દુષ્કર્મ આચરનારા શખ્સને સુરત કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપી મનોજ નયાને 20 વર્ષની સજા કોર્ટ આપી હતી. લગ્નની લાલચે કિશોરીને આરોપી ભગાવી લઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં દીકરીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી પુણા ગામની વલ્લભનગર સોસાયટીમાં રહેતો હતો અને સુરતની કોર્ટમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ કેસ ચાલ્યો હતો.