UKની ઓનલાઈન મોર્ગેજ એડવાઈઝરી દ્વારા વિશ્વના બધા શહેરો પર સ્ટડી કરવામાં આવી. જેમા ગુજરાતમાં સુરત શહેરના લોકો સૌથી વધારે ખુશ હોવાનું સામે આવ્યું
ગુજરાતનું સુરત સૌથી ખુશખુશાલ શહેર
યુકે દ્વારા કરવામાં આવેલ સ્ટડીમાં મોટો ખુલાસો
મુંબઈ સૌથી ઓછું ખુશખુશાલ શહેર સાબિત થયું
જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યું છો તો તમને જણાવી દઈએ કે UKની ઓનલાઈન મોર્ગજ એડવાઈઢરી સ્ટડીમાં ભારત સાથે જોડાયેલા અમુક શહેરો વીશે ખાસ માહિતી આપી છે કે તમારે કયા શહેરમાં ઘર ખરીદવું જોઈએ. સામાન્ય રીતે લોકો હવે મુંબઈમાં સ્થળાંતર કરી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે સ્ટડીમાં મુંબઈ સૌથી ઓછું સારુ શહેર માનવામાં આવ્યું છે.
ચંદીગઢ શહેર સૌથી ટોપ પર
ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલા નંબરે સુરત આવે છે. સુરત શહેર ભારતનું પાંચનાં નંબરનું સૌથી સારુ શહેર ગણાવામાં આવ્યું છે. સાથેજ ભારતનું ચંદીગઢ શહેર સૌથી ટોપ પર છે. ત્યાજ બીજા નંબરે ઈટલીનું ફ્લોરેંસ શહેર છે જેને સૌથી ખુશહાલ માનવામાં આવી રહ્યું છે.
વિશ્વમાં બાર્સિલોના શહેરના લોકો સૌથી ખુશ
સૌથી આનંદમય શહેરોની આ લિસ્ટને ઈન્સ્ટાગ્રામ પર પણ મુકવામાં આવી છે. આ લિસ્ટને શહેરમાં રહેતા લોકોના નિવેદનો લઈ સર્વેને આધારે બનાવામાં આવી છે. આ સ્ટડીમાં બાર્સિલોનામાં ઘર ખરીદનારા લોકો સૌથી ખુશ મળી આળ્યા છે. ત્યાનો રેશિયો 100 માતી 96 ટકા સામે આવ્યો છે.
મુંબઈના લોકો નથી એટલા ખુશ
સૌથી પહેલા નંબરે ભારતનું ચંદીગઢ શહેર આવે છે. જ્યા લોકો સૌથી વધારે ખુશ હોય છે. તે સિવાય ચેન્નઈ 13માં નંબરે , ઈન્દોર 17માં નંબરે અને લખનૌ 20માં નંબરે આવે છે. લોકો મુંબઈમાં ઘર ખરીદવાનું વિચારતા હોય છે. પરંતુ મુંબઈના લોકો સૌથી ઓછા ખુશ હોવાનું સામે આવ્યું છે. અહીયાની 100 ટકા માથી માત્ર 68 ટકા પલ્બીક ખુશ છે.
ભારતના ચાર શહેરોના નામ સ્ટડીમાં શામેલ
ઉલ્લેખનીય છે કે આ સ્ટડીમાં ગુજરાતનું સુરત શહેર પણ શામેલ છે. જે આપણા ગુજરાત માટે એક ગર્વની બાબત કહી શકાય. સાથેજ જો સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતમાં પણ લખનૌ, ઈન્દોર અને ચંદીગઢને સૌથી ખુશ શહેર માનવામાં આવ્યા છે.