ગુજરાતની આર્થિક રાજધાની સુરતનાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકની સુરત અને સિરત બદલવાની તૈયારીઓ ઝડપી કરી દેવામાં આવી છે. આ શહેર, જે હીરા અને કાપડના ઉદ્યોગ અને વેપારનું ખૂબ જ મોટું કેન્દ્ર છે, અહી વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે, તેના માટે એક ઇન્ટરનેશનલ એરપોર્ટનું હોવું ખૂબ જ જરૂરી છે.
ગુજરાતની આર્થિક રાજધાની સુરત નાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક ની સુરત બદલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI દેશના સૌથી વધુ ટ્રાવેલિંગ ટ્રાફિક ગ્રોથ ધરાવતા આ એરપોર્ટના વિસ્તરણ માટે 353 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
વર્ષ 2016 - 17માં મુસાફરોની ટ્રાફિક વૃદ્ધિ વર્ષ 2018 -19 ની સરખામણીએ 600 ટકા વધુ ગ્રોથ જોવાઈ હતી. પેસેન્જર ટ્રાફિકના વધતા દબાણને ધ્યાનમાં રાખીને, આ વિમાનમથક ની ક્ષમતામાં વધારો જરૂરી બન્યો હતો.
મુસાફરોને પહેલા કરતા વધુ વૈશ્વિક સુવિધા મળશે
અમદાવાદ પછી, ગુજરાત ના આ બીજા સૌથી વ્યસ્ત એરપોર્ટ નું ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતામાં હાલના કરતાં ત્રણ ગણું વિસ્તરણ કરવાંમાં આવી રહ્યું છે. હાલની 8474 ચોરસ મીટર વિસ્તારની ઇમારતનું નવીનીકરણ 25520 ચોરસ મીટરમાં કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહીં, પાર્કિંગ બેઝ વધારીને ને 23 પાર્કિંગ બેઝમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે.
આ સિવાય 2905 * 30 મીટરના વિસ્તારમાં ટેક્સી ટ્રેક પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં, આ વિમાનમથક ની ક્ષમતામાં 1200 ઘરેલુ અને 600 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને હેન્ડલ વ્યવસ્થા કરવામાં આવશે. એક વર્ષમાં 2.6 મિલિયન મુસાફરોને સંચાલિત કરવાની ક્ષમતા સાથે, આ વિમાનમથક નું વિસ્તરણ કાર્ય ડિસેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરી નાખવામાં આવશે.
475 કારની પાર્કિંગ ક્ષમતા વાળું પાર્કિંગ તૈયાર કરાશે
પ્રોજેક્ટ પૂર્ણ થતાં, 20 કાઉન્ટરોમાં ચેક ઇન કાઉન્ટર , 5 એરો બ્રિજ, ઇન લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ અને વિશ્વભરમાંથી આ વિમાનમથક પર આવનારા મુસાફરો માટેનું 5 કન્વેયર બેલ્ટનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ જશે. આ સિવાય 475 કારની પાર્કિંગ ક્ષમતા સાથે કાર પાર્કિંગની તૈયારી કરવામાં આવી રહી છે. આ આધુનિક ટર્મિનલ બિલ્ડિંગની આંતરિક ડિઝાઇનિંગ ગુજરાતની સંસ્કૃતિની ઝલક આપશે.
પીએમ મોદી એ ટર્મિનલ બિલ્ડિંગ પ્રોજેક્ટના વિસ્તરણ માટે શિલાન્યાસ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ના મોટા શહેરોમાં સમાવિષ્ટ સુરત ના એરપોર્ટ ના વિસ્તરણ માટેના પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો. અપેક્ષા રાખવામાં આવે છે કે એરપોર્ટ ની ક્ષમતામાં વધારો થવાની સાથે વિસ્તારના વિકાસની સાથે રોજગાર, વેપાર અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે.