સુરત શહેરમાં ટોસિલિઝુમાબ ઇન્જેકશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજ્યમાં એક તરફ કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેકશનની કાળાબજારી થઇ રહી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ સામે આવેલી બંને કંપનીઓને લઇને સુરત શહેરના કેમિસ્ટ એસોસિયેશને ખુલાસો કર્યો છે કે આ બંને કંપનીઓ કેમિસ્ટ એસોસિએશનના સભ્યા નથી. આમ હાલ ઇંજેકશન કૌભાંડમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. આ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જો કે અમદાવાદ સિવિલના સુપ્રીટેન્ડેન્ટે આ અંગે સ્પષ્ટતા કરી કે તે સિવિલનો કર્મચારી નથી.
સુરતમાં ટોસિલિઝુમાબ ઈન્જેકશનની કાળાબજારીનો મામલો
બંને સંસ્થા કેમિસ્ટ એસોસિએશનના સભ્યો નથી
આવા સમયે કાળા બજારી ન થવી જોઈએ
સુરતમાં ટોસિલિઝુમાબ ઈન્જેકશનની કાળાબજારીનો મામલો
સુરતમાં ટોસિલિઝુમાબ ઇન્જેક્શનની કાળાબજારી થઇ રહી છે. આ મામલે સુરત કેમિસ્ટ એસોસિએશને ખુલાસો કર્યો છે. ઇન્જેકશન કૌભાંડમાં સામેલ સાર્થક ફાર્મા અને ન્યુ શાંતિ મેડિસીન્સ અંગે ખુલાસો કર્યો છે. સુરત એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે બંને સંસ્થા કેમિસ્ટ એસોસિએશનના સભ્યો નથી.જ્યારે રાજ્યમાં ચાલી રહેલા કોરોનાને લઇને કપરા સમયે કાળા બજારી ન થવી જોઈએ.
ઇન્જેકશન કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડના આકરા પ્રહાર
સુરતમાં ઇન્જેકસનમાં કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. અમિત ચાવડાએ કહ્યું કે હવે સરકાર ઇન્જેકશનના નામે કાળા બજારી કરી રહી છે. સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પણ અધિકારીઓ ચલાવી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખે મોટો આક્ષેપ કરતાં કહ્યું કે ગુજરાતના એક પણ શહેરમાં કોરોનાની દવાનો સ્ટોક નથી. સરકાર સ્પષ્ટ કરે કે તે લોકોને લૂંટવા માંગે છે કે મારવ. સરકારે પહેલા ધમણના નામે લોકોને માર્યા, માસ્કનો વેપાર કર્યો.
ઇંજેક્શન કૌભાંડ મુદ્દે કોંગ્રેસ નેતા નિશિથ વ્યાસે સરકાર પર પ્રહાર કર્યા છે. નિશિથ વ્યાસે કહ્યું કે કૌભાંડની સિરીઝ ચાલી રહી છે. ઇન્જેક્શન કૌભાંડમાં મુખ્ય માણસ કોણ છે. મુખ્ય કૌભાંડી સામે સરકાર શું પગલાં લેશે. સમગ્ર કૌભાંડમાં સરકાર સામેલ છે. 5000 ઇન્જેક્શન મગાવ્યાની વાત હતી. કેટલા લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. મૃત્યું થયા તેવા કેટલા લોકોને ઇન્જેક્શન અપાયા તે જાહેર કરો. નાના માણસોને ઇન્જેક્શન મળતું નથી.
અમદાવાદ સિવિલ કર્મચારીની સંડોવણી મામલે સુપરિટેન્ડેન્ટ એમ.એમ.પ્રભાકરનું નિવેદન
ટોસિલિઝુમાબ ઈન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. જે મામલે સિવિલ સુપરિટેન્ડેન્ટ એમ.એમ.પ્રભાકરે કહ્યું કે કોઇએ આવું કૌભાંડ કરવું જોઇએ નહીં. ઘનશ્યામ વ્યાસ TB વિભાગમાં નોકરી કરે છે. ઘનશ્યામ વ્યાસ સિવિલ હોસ્પિટલનો કર્મચારી નથી.
તમામ સામે ફોજદારી કેસ થશે : ફૂડ અને ડ્રગ કમિશનર
કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ઇંજેકશનનો પર્દાફાશ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ. જી. કોશિયાએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. જેમાં જણાવાયું કે કોરોના દર્દીના સારવાર માટે વપરાતું ઇંજેકશન 40 હજારની કિંમતનું છે. જે 50 હજારમાં ખરીદવામાં આવ્યું અને 57 હજારમાં વેચી દેવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં એક ઈન્જેક્શન પાછળ 17 હજારની કમાણી કરી છે. લાયસન્સ ન હોવા છતાં ઈન્જેક્શન વેચવામાં આવતા હતા. સરકારી સ્ટોકમાંથી કાળાબજારી થયાનું ધ્યાને આવ્યું નથી. નામ વગરના પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરાતો હતો. છુટક ઈન્જેક્શનો ખરીદવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. બેથી વધુ વ્યક્તિઓ મારફતે ઈન્જેક્શન પહોંચાડવામાં આવતા હતા. 3 ઈન્જેકશન જપ્ત કરવામાં આવ્યા છે. તમામ સામે ફોજદારી કેસ દાખલ કરાશે.