સુરત: અયોધ્યામાં રામમંદિર બનાવવાના મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે અયોધ્યા મંદિરને લઈને ગુજરાતમાં પણ હિંદુ સંગઠનો એક્શનમાં આવ્યા છે. રામમંદિર મુદ્દે સુરત અને રાજકોટમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ છે.
વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદળ અને હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા સભાનુ આયોજન કરશે. રાજકોટના ઢેબર ચોક અને સુરતના લીંબાયત વિસ્તારમાં 16 ડિસેમ્બરે સભાનુ આયોજન કરવામાં આવ્યું.
#AyodhyaRamMandir ને લઇ #Gujarat માં હિંદુ સંગઠનો એક્શનમાં મંદિર મુદ્દે સુરત અને રાજકોટમાં જાહેર સભાનું આયોજન રાજકોટના ઢેબર ચોક અને સુરતના લીંબાયતમાં યોજાશે સભા 16 ડિસેમ્બરના રોજ કરાયુ આયોજન VHP બજરંગદળ અને હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા આયોજન pic.twitter.com/gIMvj4DAkw
અયોધ્યામાં મંદિર બનાવવા સંસદમાં ઠરાવ પસાર કરવવાની માગ સાથે સભાનુ આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ સ્થાનિક વ્યવસ્થાતંત્ર દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કિલ્લામાં ફેરવાયું છે અયોધ્યા
ઉલ્લેખનીય છે કે અયોધ્યા આસપાસના વિસ્તારમાં માહોલ ના બગડે તે હેતુથી સ્થાનિક વ્યવસ્થાતંત્ર પણ હરકતમાં આવ્યું છે અને રામનગરીને કિલ્લામાં પરિવર્તિત કરી છે.
આ વિસ્તારમાં PMCની 48 કંપની RF 9 કંપની 30 SP 350 ઉપનિરીક્ષક 175 હેડ કોન્સ્ટેબલ 1340 કોન્સ્ટેબલ સહિત 2 ડ્રોન દ્વારા ચાંપતો સુરક્ષાબંદોબસ્ત રાખવામાં આવશે.