સુરતમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ દરી હતી. શહેરમાં ચાલતી ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી. તપાસ દરમિયાન ફરસાણને એક જ તેલમાં સતત તળીને લોકોને પીરસવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગે તેલની ગુણવત્તા માપતા ઉપકરણની મદદથી તેલની ગુણવત્તા ચકાસણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ ચેકિંગમાં કેટલીક દુકાનોમાં વાપરવામાં આવતું તેલ અશુદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. અને આવા અશુદ્ધ તેલનો ઉપયોગ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા આવા અશુદ્ધ તેલનો ઉપયોગ કરનાર એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે મેગાસીટીની યાદીમાં સ્થાન પામેલ સુરતમાં આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાનું ધ્યાને આવેલ. આ મામલે આરોગ્ય ખાતાના અધિકારીઓએ સઘન ચેંકિંગ કરતા કેટલાક વેપારીઓ આરોગ્ય ખાતાની ઝડપે ચડ્યા હતા. આ મામલે આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પહેલા પણ રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર ચેંકિંગ હાથ ધરવામાં આવે છે. જો કે ગતરોજ પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા કેટલાક વેપારીઓ પાસે મળી આવેલ તેલની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આ ચેકિંગને પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો.