સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીની દુકાનોમાં દરોડા પાડયા છે. શહેરના અડાજણ પાટિયા પાસે આવેલા ચોકસી વલી સ્થિત કેરીની દુકાનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા. આ દરોડા આરોગ્ય વિભાગના અધિકારીઓએ અલગ-અલગ ત્રણ ટીમો બનાવીને અડાજણ એલ.પી.સાવાણી રોડ પર આવેલી દુકાનો પર દરોડા પાડયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ. આરોગ્ય વિભાગે કેરીનો રસ વહેંચતા કેટલાક વેપારીઓના સેમ્પલ લઈને આગળની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે ઉનાળાની શરૂઆત થતા જ વેપારીઓ કેરીના રસનું વેચાણ શરૂ કરે છે. જો કે કેટલાક વેપારીઓ દ્વારા કેરીના રસમાં ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે જેના લીધે આવો ભેળસેળ વાળો રસ ખાનાર વ્યક્તિ બીમારીનો ભોગ બને છે. ત્યારે જનતાના આરોગ્ય સાથે છેડછાડ કરતા વેપારીઓને ઝડપી પાડવા સુરત મનપા દ્વારા આજરોજ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સુરત શહેરના જ કેટલાક વિસ્તારોમાં સુરત મનપા દ્વારા 3 ટીમમાં વહેંચાઇને આ દરોડા પાડવામાં આવેલ. આ દરોડામાં કેરીના રસનું વેચાણ કરતા અનેક વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.