10થી વધારે આર્મીના હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોડાયા, ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
અમરનાથમાં સુરતનું ગ્રુપ ફસાયુ
3 દિવસથી ગ્રુપ અમરનાથમા ફસાયું
10થી વધારે હેલિકોપ્ટર રેસ્ક્યૂમાં જોડાયા
અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમ્યાન વાદળ ફાટવાની ઘટના દરમ્યાન 16 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય કેટલાંક ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનામાં કેટલાંક ગુજરાતીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ સાથે હવે સુરતનું એક ગ્રુપ પણ અમરનાથમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. આ તરફ 10થી વધારે આર્મીના હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોડાયા છે. જેમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અમરનાથમાં ફસાયું સુરતનું ગ્રુપ
અમરનાથ યાત્રા (Amarnath yatra)માં વાદળ ફાટવાથી સુરતનું એક ગ્રુપ ત્યાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. સુરતથી આ ગ્રુપ બાબા અમરનાથના દર્શન કરવા ગયું હતું. જોકે રેસ્ક્યૂ કામમાં 10થી વધારે આર્મીના હેલિકોપ્ટર જોડાયા છે જેમના દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે રેસ્ક્યૂ થયેલા લોકોને ફૂડ પેકેટ અને પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી છે.
મોરબીના ચાર યુવાનો અમરનાથમાં હેમખેમ
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લાના હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ સર્પક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, પરિવારજનોએ સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી. આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ વહીવટી તંત્ર દ્વારા શામજીભાઈ ભરવાડ, પ્રવીણ ભદ્રેશિયા, પ્રવીણભાઈ કુરિયા અને નયનભાઈ બાબરીયાને હેમખેમ પરત લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આણંદ-ઉમરેઠમાંથી અમરનાથ ગયેલા 114 મુસાફરો સુરક્ષિત
ઉમરેઠ તાલુકામાંથી 3 લક્ઝરીબસ 114 મુસાફરોને લઇને અમરનાથ યાત્રાએ ગઇ છે. જેમાં ઉમરેઠ, લીંગડા, થામણા અને તેની આસપાસના મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. અમરનાથની ધટના બાદ મુસાફરોના પરિવારજનો સતત તેઓના સંપર્કમાં રહ્યાં હતા. ત્યારે આણંદ-ઉમરેઠના તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. ઉમરેઠ તાલુકાની ૩ બસના મુસાફરો અમરનાથની યાત્રા કરીને પરત ફર્યા છે.
હાલ અમરનાથ યાત્રામાં શું સ્થિતિ ?
અમરનાથમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. રવિવારે પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધ ચાલુ છે, અત્યાર સુધીમાં 15,000 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ફસાયેલા 15,000 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને પંચતરણીમાં ખસેડવામાં આવ્યા છે. 35 ઘાયલ શ્રદ્ધાળુઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 17 હજુ પણ સારવાર હેઠળ છે.