સુરતના ઉભરાટ બીચ ઉપર વાવાઝોડાને લઈ તંત્રની બેદરકારી સામે આવી છે. એક તરફ રાજ્યમાં વાવાઝોડું ત્રાટકવાની ગંભીર સમસ્યા છે ત્યારે બીજી તરફ સેકડો સહેલાણીઓ બિન્દાસ્ત રીતે દરિયામાં મોજમસ્તી કરી રહ્યા છે. ડુમસના બંને બીચ પોલીસે સહેલાણીઓ માટે બંધ કરી દીધા છે. જ્યારે ઉભરાટ બીચ ઉપર સહેલાણીઓને કોઈ રોકતું નથી. એક તરફ વાયુ વાવાઝોડાને લઈ સમગ્ર તંત્ર હાઇએલર્ટ પર છે. ત્યારે ઉભરાટના બીચ પર તંત્રની ઢીલી કાંમગીરી સામે આવી છે. જેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે કે શું તંત્ર ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન નથી કરતું. કે પછી આટલી ગંભીર સ્થિતિમાં પણ અધિકારીઓના પેટનુ પાણી નથી હલતું.