સુરત: 'સંયમનો માર્ગ છે શૂરાનો નહીં કાયરનું કામ' આ વાત સાચી છે. કેમ કે આ માર્ગ ખાંડાની ધાર પર ચાલવાનો છે. જોશસભર જવાની ચમકતી કારકિર્દી અને સુખની છોળો છોડી સંયમના પથ પર ચાલવાની હિંમત બધામાં નથી હોતી. મોહના અનેક તાંતણા તોડાવનું બળ બધામાં નથી હોતું.
પરંતુ ભૌતિક જગતમાં ડોક્ટર બન્યા બાદ પણ પોતાને અનેક દર્દોથી લથપથ માને છે. તેવી એક યુવતીને આ એક રમત વાત લાગી. જોઈએ લોભ મોહ અને રાગ દ્વેષના બંધનો તોડીને સંયમના પથ પર વિહરવા થનગનતી એક હોનહાર દિકરીએ સંયમ ધર્મ અપનાવવા તરફ ડગલા ભર્યા છે.
ઉલ્લેખનીય છે કે કિંમતી આભૂષણો ભરયુવાની અને ચમકતી દમકતી કારકિર્દી સાથે સુખની છોળોમાં ઉછરેલીઆ કોઈની વહાલસોઈ પુત્રીને જુઓ કિંમતી આભૂષણોથી સજ્જ આ યુવતી કોઈના લગ્નપ્રસંગે મહાલવા તૈયાર નથી થઈ કે નથી કોઈ સોશિયલ પાર્ટી માટે સજ્જ ધજ્જ થઈ.
તમને જાણીને નવાઈ લાગશે કે ચમકતી ડાયમંડ સિટીમાં ડોક્ટર જેવી દમકતી કારકિર્દી અને અને અત્યંત ધનાઢય્ પરિવારને છોડીને ડો.હિના કુમારી જૈન સંયમના પથ પર ચાલવા માટે સજ્જ થઈ છે. ડો.હિના કુમારી 18 જાન્યુઆરીના રોજ મહારાજશ્રીની હાજરીમાં સુરતમાં જૈન દીક્ષા લઈને સંયમના પથ પર આગળ વધશે.
આપને જણાવી દઇએ કે હિનાકુમારી માલેગાંવમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. કરોડપતિ પિતાની દીકરી એવી હિનાએ MBBSમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જો કે સંયમના માર્ગે જવા માટે તેણે MBBS કર્યા પહેલા સ્વપ્ન સજાવી લીધું હતું.
પરતુ માતા પિતાના આગ્રહને વશ તેણે MBBS પૂરુ કર્યું અને ડોક્ટર પણ બની. જો કે આ દરમિયાન તેણીએ ધો-12માં ડ્રોપ કરીને જૈનમુનિઓની નિશ્રામાં ઉપાધાન તપ પણ કરી લીધું હતું અને નજીક સાધુ જીવનનો સ્વાદ ચાખી લીધો હતો.
પરંતુ માતા-પિતાના આગ્રહથી તેણીએ MBBS પૂર્ણ કર્યુ અને ટ્રસ્ટની એક હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા પણ આપી. આખરે તેણે પરિવારની સંમતિ લઈને ભૌતિક જીવન ત્યાગને સંયમનો માર્ગ અપનાવાનું નક્કી કરી લીધું.
હવે તે વૈરાગ્યની હોસ્પિટલમાં કર્મ નામના રોગોની તપ અને વ્રતથી સારવાર કરશે. હિના 18 જુલાઈએ જૈનધર્મમાં દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે આગળ વધશે. કેમકે ડો.હિના કુમારીને શરીરને દર્દ મટાડવાના બદલે લોકોના મનના દર્દ દૂર કરવામાં રસ છે.
ભૌતિક જીવનના ડોક્ટર આદ્યાત્મિક જીવનમાં ખુદ દર્દી બનીને પોતાના કષાયોની સારવાર કરાવશે પછી આ દુનિયાને એક નવા ડોક્ટર મળશે...એ નિશ્ચિત છે