સુરતના પુણાગામમાં વીજકરંટથી યુવતીના મોતનો મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે ધારાસભ્ય હર્ષ સંઘવીએ વીજ કંપનીને પત્ર લખ્યો છે. પત્ર લખીને શહેરના તમામ ટ્રાન્સફોર્મરને ફેન્સીંગ કરવાની માગ કરી છે. પ્રજાની સુરક્ષા આ માટે મામલે તાત્કાલિક જરૂરી પગલા લેવા માટે હર્ષ સંઘવીએ DGVCLને માગ કરી છે.
મહત્વનું છે કે, ગુરૂવારે DGVCLની બેદરકારીએ સુરતના પુણાગામમાં કરંટ લાગતા યુવતીના મોત ત્યારબાદ પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા પરિવારે યુવતીના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે ઈન્ચાર્જ કલેક્ટર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી સ્વીકારાતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે મૃતક યુવતીના પરિવારજનોને DGVCL દ્વારા 4 લાખની સહાયનો ચેક પણ આપવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે DGVCLના અધિકારીઓ સામે ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારેતપાસ કર્યા બાદ અધિકારીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાશે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. CCTVમાં DGVCLની બેદરકારી સામે આવી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે.