પૂરતી સુવિધા પૂરી પાડયા વિના પૈસા ઊસેટી લેવાની લ્હાય એટલી જભયાનક છે જેટલી સુરતમાં એક ટયૂશન કલાસિસમાં લાગેલી આગ છે...ટયૂશન કલાસિસમાં સંચાલકોની બેદરકારીથી લાગેલી આગમાં 21 બાળકો ભુંજાઈ ગયા....તેમની ચિચિયારીઓ કહી રહી હતી કે અમારી સાથે આવો દગો કેમ કર્યો...તેમની ફરિયાદ માત્ર સંચાલકો સામે નહીં પરંતુ એ તમામ પાપના ભાગીદારો સામે હતી જેઓ આવા સેફ્ટી વિનાના બિલ્ડિંગોને પરમિશન આપી રહ્યા છે...જોઈએ કોઈના લાલ નંદવાયાનો અને તંત્રના ઘોર પાપનો આ અહેવાલ...