શું કોઈ એટલું બેદરકાર હોઈ શકે કે જેમની એક ભૂલના કારણે અનેક માસૂમોનો જીવ જતો રહે...અને એ પણ નાના નાના ભૂલકાઓ...તમે સાંભળીને જ કદાચ હલી ગયા હશો..પરંતુ અહીં એવા કેટલાય અધિકારીઓ અને પદાધિકારીઓ છે કે જેઓને એવા માસૂમોની કોઈ ચિંતા જ નથી...હું વાત કરી રહ્યો છો સુરતમાં બનેલી આગની ઘટનાની જેમાં 17 માસૂમોનો ભોગ લેવાયો...જેના માટે જવાબદાર હોય તો તે છે માત્રને માત્ર મ્યૂનિસિપલ કમિશનર,મેયર અને ફાયર વિભાગ...આ તમામની બેદકારીને કારણે આજે 17 જેટલા લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા...એવુ નથી કે આ ઈમારતમાં ગેરકાયદે ચાલી રહેલા ટ્યૂશન ક્લાસીસથી કોઈ વાકેફ નહતું..સૌ જાણતા હતા પરંતુ કોઈ સમયસર એક્શન ન લીધા અને તેના કારણે 17 માસૂમોના જીવ ગયા..ત્યારે સવાલ એ છે કે શું આવા બેદરકારી દાખવનારાઓ સામે એક્શન લેવાશે? શું અધિકારીઓ દંડાશે? કોણ છે માસૂમ બાળકોના મોત સોદાગર ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન