સુરતમાં એક તરફ ભીષણ આગી લાગી છે. જેમાં 15ના મોત થયા છે. ત્યારે આ ઘટનામાં બચાવનારાનો પણ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના આ સાચા હીરોને VTV સલામ કરે છે. આ યુવાન બે વિદ્યાર્થિનીઓને બચાવતો હોવાનું વીડિયો દેખાઈ રહ્યું છે.
યુવાન પોતાના જીવની પરવા કર્યા વીના લોકોનો જીવ બચાવી રહ્યો છે. પર દુ:ખભંજનની ભૂમિકામાં આ યુવાન વીડિયોમાં દેખાઈ રહ્યો છે. એક તરફ તંત્રના વાંકે આગ લાગી અને બીજી તરફ બચાવનારાની માનવતા સામે આવી આ બન્ને વિપરિત ઘટનામાં આ યુવાન ખરેખર સલામને પાત્ર છે.
સુરતના એપાર્ટમેન્ટમાં આગ
ઉલ્લેખનીય છે કે, સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 17થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા. આ મામલે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કોર્પોરેશનની બેદરકારી સામે આવી હોવાની વાત કરી અને તંત્ર દ્વારા આ બિલ્ડીંગને બીયુ પરમિશન ક્યાં ધોરણે આપવામાં આવી તેવા સવાલો તેમણે કર્યા.
તેમજ તંત્રએ આ ઘટનાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી વાત કરી. તો સરકારે નિયમ મુજબ ભોગ બનનારને સહાય આપવી જોઈએ તેમ પણ કહ્યુ હતું.
વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા 17 જેટલા વિદ્યાર્થીઓના મોત થતાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે
આગની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. દેશના વડાપ્રધાને પણ આ ઘટના અંગેની નોંધ લઇને પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સુરત જવા રવાના થયાં હતા.