સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની હતી. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગતા અહીં ચાલતા ટ્યુશન ક્લાસિસમાં 35થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેને લઈને દોડધામ મચી હતી. તો આગથી બચવા માટે વિદ્યાર્થીઓએ એપોર્ટમેન્ટના ટોપ ફ્લોર પરથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં 21ના મોત થયા છે.
કોર્પોરેશનના પાપે 21નો ભોગ લેવાયો
આ આગની ઘટનાને લઇને વીટીવીએ પાસે માહિતી સામે આવી છે કે તક્ષશિલા અપાર્ટમેન્ટમાં ત્રીજો માળ ગેરકાયદેસર બંધાયેલો હતો. તક્ષશિલાને કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન આપવામાં આવી ન હતી. સુરત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની મિલિભગત ઘટના પાછળ જવાબદાર છે. બિલ્ડિંગમાં ફાયર સેફિટની સુવિધા રાખવામાં આવી ન હતી. કોર્પોરેશનની બેદરાકારીને કારણે 19ના થયા મોત.
સુરત કોર્પોરેશનનું નિવેદન
આ મામલે કોર્પોરેશન પોતાનો બચાવ કરતું સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ બિલ્ડિંગને ચાર મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી. ફાયરસેફ્ટ ન હોવાથી ગેરકાયદેસર હોવાનું અગાઉ જણાવાયું હતું. પરંતુ માલિકો અને સંચાલકો દ્વારા એક્શન લેવામાં આવ્યા ન હતા.
ટયુશન કલાસીસમાં ફાયર સેફટી ન હોય તો જવાબદારી કોની ? કોની મિલીભગતથી બાળકોને મોતના મુખમાં ધકેલી દેવાય છે ? જવાબદારો સામે તંત્ર કડક પગલા ભરશે ?
કોર્પોરેશનની બેદરકારીએ બની દુર્ઘટનાઃ કોંગ્રેસ
આ મામલે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કોર્પોરેશનની બેદરકારી સામે આવી હોવાની વાત કરી અને તંત્ર દ્વારા આ બિલ્ડીંગને બીયુ પરમિશન ક્યાં ધોરણે આપવામાં આવી તેવા સવાલો તેમણે કર્યા હતા. તેમજ તંત્રએ આ ઘટનાની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ તેવી વાત કરી હતી. તો સરકારે નિયમ મુજબ ભોગ બનનારને સહાય આપવી જોઈએ.
મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
જોકે આગને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી હતી. જ્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું.
સાથે આ મામલે પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને તાબડતોડ સહાય પુરી પાડવા માટે આદેશ કર્યો હતો. તેઓએ સમગ્ર ઘટના મામલે 3 દિવસમાં રિપોર્ટ સોંપવા માટે પણ સુચન કર્યું હતું.