વર્ષ 2019માં સુરત સહેરમાં આગની બે મોટી ઘટના બનવા પામી છે એક આગમ આર્કેડમાં અને બીજી તક્ષશિલામાં આગ. આ બન્ને ઘટના બાદ સુરત ફાયર વિભાગ સતર્ક બન્યુ છે અને ફાયર વિભાગ દ્વારા દિવાળીને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઉપરાંત ફાયરને લગતા અદ્યતન સાધનોની ટ્રેનિંગ પણ જવાનોને આપવામાં આવી રહી છે.
ફટાકડાથી સર્જાઈ શકે આગહોનારત
સુરત ફાયર વિભાગ થઈ ગયો સતર્ક
બબ્બે ઘટનામાંથી તેને લીધો બોધપાઠ
સુરત ખાતે વર્ષ 2019માં આગની 2 મોટી ઘટના બની હતી. આગની પ્રથમ ઘટના આગમ આર્કેડમાં સર્જાઈ હતી જ્યાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તો બીજી ઘટના તક્ષશિલામાં ચાલતા ટયૂશન ક્લાસિસમાં બની હતી એ અગ્નિકાંડમાં 22 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જો કે, આ બે આગની ઘટના બાદ ફાયર વિભાગ સતર્ક બન્યો છે અને આગના બનાવોને રોકવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
દિવાળી પહેલા હરકતમાં આવ્યું ફાયર વિભાગ
આ આગની ઘટનાઓ બાદ હવે જ્યારે દિવાળી આવી રહી છે ત્યારે ફટાકડાને કારણે પણ આગના બનાવો બનવાની શક્યતા વધી જતી હોય છે. ત્યારે આ વખતે દિવાળી પહેલા ફાયર વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ફાયર વિભાગ દ્વારા અત્યાધુનિક ફાયર ઉપકરણો વાપરવા અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
જોખમી રીતે ફટાકડા ન ફોડવા ચલાવાયું અભિયાન
સુરત ખાતે આગની ઘટના બાદ ફાયરની સાથે સાથે મનપા પણ હરકતમાં આવ્યું છે. ફાયર વિભાગને કાર્યવાહી માટે ખૂલો દોર આપી દેવામાં આવ્યો છે તે મુજબ ફાયર વિભાગ દ્વારા કોઇપણની શેહ શરમમાં આવ્યા વગર ફાયર સેફ્ટી વિના ધમધમતા તમામ કોમ્પ્લેક્ષો સીલ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર મેયર પણ કાળજીપૂર્વક ફટાકડા ફોડવા માટે લોકોને સમજાવી રહ્યા છે અને તમામ સોશિયલ મીડિયા પર પણ આગામી દિવસોમાં લોકોને આડેધડ અને જોખમી રીતે ફટાકડા ન ફોડવા માટે જાગૃત કરતું એક કેમ્પેઇન ચલાવાઈ રહ્યું છે.
સુરત શહેરમાં ગીચ વિસ્તારમાં ફટાકડા આડેધડ ફોડવાને કારણે કેટલીક વખત આગના બનાવો બનતા હોય છે પરંતુ ફાયરને જો ચોક્કસ લોકેશન સાથે તાત્કાલિક ફોન કરવામાં આવશે તો ફાયર આ માટે જરૂરી પગલા ભરી લોકોના જાન માલને ઓછું નુકશાન થાય તે તરફ પ્રયાસ કરશે.