સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આગમાં અત્યાર સુધીમાં કરોડોનું નુકસાન થઈ ચુક્યુ છે અને 100થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ચુકી છે આ તમામમાં દુકાનોમાં કાપડ ભરેલું છે. 15 દિવસ પહેલા પણ અહીં જ આગ લાગી હતી.
સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી. 70 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂા. 30 કરોડથી વધુનું નુકાસાન થઈ ચુક્યુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગ્રાઉન઼્ડ, પ્રથમ અને બીજો માળ બળીને ખાખ થઈ ચૂક્યો છે.
આગ મામલે અત્યાર સુધીનું અપડેટ
પરોઢીયે 3થી 3.30 વાગ્યાની આસપાસ આગ લાગી
4 વાગે ફાયરવિભાગની ટીમને જાણ કરવામાં આવી
4 વાગીને 5 મિનિટે ફાયરવિભાગની ટીમ પહોંચી
4 વાગીને 20 મિનિટે અન્ય ટીમને જાણ કરાઈ
6 વાગે બ્રિગેડ કોલ જાહેર કરાયો
6 વાગીને 10 મિનિટે અન્ય ટીમ પહોંચી
8 વાગે સુરત જિલ્લાના અધિકારીઓની ટીમ પહોંચી
10 વાગીને 30 મિનિટે કલેકટર ધવલ પટેલ પહોંચ્યા
11 વાગીને 30 મિનિટે બીજા અને ત્રીજા માળે ફરી આગ લાગી