સુરતના તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં 22 બાળકોના મોત બાદ અંતે તંત્ર ગંભીર બન્યું છે અને હવે SMCના અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 અધિકારીઓ સામે હવે ખાતાકીય તપાસ થશે.
અગાઉ સુરત મનપા દ્વારા 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે અને અત્યારસુધી 2 ફાયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે એસ.કે.આચાર્ય, કિર્તી મોઢ, પરાગ મુન્સી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. જયેશ સોલંકી, વિનુ પરમાર અને હરેરામ સિંઘ સામે પણ તપાસ થશે. જેમાં તપાસ અધિકારી તરીકે સી.વાય.ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રીની નિમણૂંક કરવામાં આવી છે.