સુરતના સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે DGVCLના અધિકારીઓ દ્વારા 400 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટનો પોલીસ દ્વારા અભિપ્રાય લેવામાં આવશે. DGVCLના 400 પેજના રિપોર્ટ પર ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટરનો અભિપ્રાય લેવાશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મહત્વનુ છે કે, સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ મામલે DGVCL દ્વારા ઈજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારે હવે બચાવ કામગીરીમાં ફાયર જવાનોના પણ નિવેદનો લેવામાં આવશે.