સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની હતી. તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગ લાગતા અહીં ચાલતા ટ્યુશન ક્લાસિસમાં 35થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેને લઈને દોડધામ મચી હતી. તો આગથી બચવા માટે વિદ્યાર્થીઓએ એપોર્ટમેન્ટના ટોપ ફ્લોર પરથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં 21ના મોત થયા છે.