ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા ખાતરની સબસીડીમાં વધારો કરવામાં આવ્યો છે. આથી યુરિયા ખાતરના ભાવમાં રૂપિયા 50નો ઘટાડો થયો. અગાઉ યુરિયા DAPનો 50 કિલોનો ભાવ રૂપિયા 1 હજાર 300 હતો. પરંતુ સરકારના નિર્ણય બાદ હવે યુરિયા રૂપિયા 1 હજાર 250ના ભાવે મળશે. વાવણીના સમયે ખાતરના ભાવમાં ઘટાડો કરાતા ખેડૂતોને ફાયદો થયો છે. સરકારના નિર્ણયને લઈ સુરતના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી.....