સુરતમાં ખેડૂતો ત્રસ્ત બન્યા છે ત્યારે ખેતરના પાણીની નિકાલ ન થતા અને ગટરના પાણી ભરાવાને કારણે 300 વીઘાના ખેતરમાં ડાંગરનો પાક ન કરવાનો વસવસો ખેડૂતને ભારો ભાર છે. તંત્ર દ્વારા ખેડૂતોની સરકાર હોવાની ખાલી વાતો જ છે જ્યારે આવા કિસ્સા ખરેખર તંત્રની પોલ ખોલે છે.
સુરત પાણીનો નિકાલ ન થતા મહા મુશ્કેલી
300 વીઘા જમીનમાં ખેતીને નુકશાન
સરોલી ગામના ખેડૂતોની વારંવાર રજૂઆત
ઉકેલ ન આવતા ઉગ્ર વિરોધ
સુરત જિલ્લા વહીવટી તંત્રના ઉદાસીન વલણ અને લાપરવાહીનો ભોગ ઓલપાડ તાલુકાના સરોલી ગામના ખેડૂતો ને બનવાનો વારો આવ્યો છે.સરોલી ગામના ખેતરમાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાવાથી ખેડૂતો પાક જ લઇ નથી શકતા અને આ કોઈ નાની અમસ્થી ખેતરની જગ્યા નથી.
ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી
300 વીઘા ખેતરમાં ડાંગરની ખેતી ન કરી શકાતા પાક ને નુકશાન થઈ રહ્યું છે.આ પ્રકારના પાણી ના ભરવાનો તંત્ર દ્વારા નિકાલ ન કરતા આજે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
3 થી4 કરોડનું નુકશાન વેઠવાનો વારો
300 વિઘાની જમીનમાં અંદાજે 3 થી 4 કરોડ રૂપિયાનો ડાંગરનો પાક ખેડૂતો પકાવી શકે છે. પરંતુ સરોલી ગામના ખેડૂતો દ્વારા વારંવાર ની તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ કરવામાં આવતો નથી.જેને લઈ ખેડૂતોને દર વર્ષે 3 થી4 કરોડનું નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે.
રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં
સરોલી ગામના ખેડૂતો માં આ પરિસ્થિતિ સામે DDO, તાલુકા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગ સહિત તમામ જગ્યાઓમાં રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજ ગામ એક થઈ વિરોધ દર્શવ્યો હતો.