સુરતના એક પરિવારને ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ કડવો અનુભવ થયો છે. કોરોના વાયરસના કારણે આ પરિવાર જૂનાગઢથી સુરત પરત ફર્યો હતો. ક્વોરન્ટાઈન સિક્કો માથાનો દુખાવો બન્યો છે. સુરત આવેલા આ પરિવારના સભ્યોના હાથમાં સિક્કા મારવામાં આવ્યા હતા. જેના કારણે હાથમાં ઈન્ફેક્શન થયું છે. મહિલા, પુરુષ અને બાળકીની ચામડી પર ચાઠા પડી ગયા છે.
સુરતમાં ક્વોરન્ટાઈન થયેલા પરિવારનો દાવો
ક્વોરન્ટાઈના સિક્કાથી થયું હાથમાં ઈન્ફેક્શન
જૂનાગઢથી પરત ફર્યો હતો પરિવાર
સુરતમાં પ્રવેશવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ એન્ટ્રી બનાવવામાં આવી છે. બીજા જિલ્લા કે રાજ્યમાંથી આવતા લોકોને એન્ટ્રી પોઈન્ટ પર જ ક્વોરન્ટાઈનના હાથ પર સિક્કા મારવામાં આવે છે. જેને લઇને 20મીએ જુનાગઢથી સુરતના સરથાણા પરત ફરેલા દોમડિયા પરિવારને કડવો અનુભવ થયો છે. સરથાણા વિસ્તારમાં આ પરિવાર ક્વોરન્ટાઈન રહ્યો હતો.
સિક્કા માર્યા બાદ આ ઈન્ફેક્શન થયુંઃ પરિવાર
આ પરિવારની બાળકી સહિત ત્રણ સભ્યોને ક્વોરન્ટીનના સિક્કા હાથ પર માર્યા હતા. આ સિક્કાની શાહીના કારણે દયાબેન, પ્રફુલભાઈ, અને યશ્વી દોમડિયાને એલર્જી થતા જ્યાં ક્વોરન્ટીનના સિક્કા માર્યા તે ચામડી બળી ગઈ છે. પરિવારે દાવો કર્યો છે કે હાથમાં ક્વોરન્ટાઈનના સિક્કા માર્યા બાદ આ ઈન્ફેક્શન થયું છે.
એલર્જીથી ચામડી બળી ગઇ છેઃ ડૉક્ટર
આ અંગે ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ક્વોરન્ટાઇન માટે લગાવવામાં આવેલ સિક્કામાં ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી વાપરવામાં આવી રહી છે. ત્યારે આ શાહીના કારણે એલર્જીથી ચામડી બળી ગઇ છે. જોકે આ અંગે હેલ્થ સેન્ટરમાં જાણ કરતા દવા આપવામાં આવી હતી.