રાજ્યની સૌથી હાઇટેક લાજપોર જેલમાંથી પૅરોલ પર છૂટી ને આવેલા હત્યાના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે
જેલપ્રસાશને રૂા. 50 હજારની લાંચ માંગી : આરોપી
કેદમાં પણ આરોપી અને એની ટોળકી સીધી નથી રહેતી: જેલ પ્રશાસન
સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી
રાજ્યની સૌથી હાઇટેક લાજપોર જેલમાંથી પૅરોલ પર છૂટી ને આવેલા હત્યાના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે લાજપોર જેલમાં ગેરરીતિ ચાલી રહી છે, જ્યારે જેલ પ્રશાશને આ મામલે આરોપી ખોટું બોલી રહ્યો હોવાનું જણાવ્યું છે.
સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી
સુરત શહેરમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની ગત વર્ષે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર 50 થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા,જેમાં સીસી ટીવી પણ સામે આવ્યા હતા.
50 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવે છે
આ CCTVમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ પણ જોવા મળ્યો હતો જેને કારણે સૂર્યા મરાઠેની હત્યાના આરોપસર હાલ લાજપોર જેલમાં બંધ છે, જોકે પેરોલ પર છૂટીને આવેલા આરોપી રાહુલે લાજપોર જેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે જેલમાં કેટલીક ગેરરીતિ ચાલી રહી છે,ઉપરાંત જેલમાં આવેલા હાઈ સિક્યુરિટી સેલમાંથી બહાર કાઢવા માટે જેલના અંદર 50 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવે છે.
કેદમાં પણ આરોપી અને એની ટોળકી સીધી નથી રહેતી
લાજપોર જેલ તંત્રે સ્પષ્ટ જણાવ્યું હતું કે જેલની અંદર પણ આ આરોપી અને એની ટોળકી સીધા ના રહેતા હતા ,જેલની અંદર પણ રાહુલ એપાર્ટમેન્ટ ઝનૂની સ્વભાવ રાખતો હતો અને માથાભારે ની છબી જેલની અંદર યથાવત રાખી હતી,એવું જેલ તંત્ર નું કહેવું હતું,જેલની અંદર પણ ત્રણ ખટલા કરવામાં આવ્યા છે,ઉપરાંત જેલ તંત્રે રાહુલ સામે પોલીસ ફરિયાદ પણ કરી છે.
જેલ તંત્રએ આરોપ ખોટા હોવાનું સ્પષ્ટ કર્યુ
ચાર દિવસની પેરોલ પર લાજપોર જેલથી છૂટીને આવેલો આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ગંભીર આક્ષેપ સામે જેલ તંત્રે આ આરોપ ખોટા હોવાનું સ્પષ્ટ કરી દીધું છે, ગુનેગારને જેલમાં મોકલવામાં આવે છે કે જેલમાંથી સુધરીને આવે, પરંતુ કેટલાક આરોપી જેલની અંદર પણ સુધરતા ના હોવાથી તેમની સામે અંદર પણ પગલાં ભરવામાં આવતા હોય છે