દેશભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક ફલાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જો કે અંદાજે 2 મહિના બાદ આજથી ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇને રાજ્યના સુરત શહેરમાંથી આજે સવારની 2 ફલાઇટ રદ્દ કરવામાં આવતાં મુસાફરોએ એરપોર્ટ પર હંગામો કર્યો હતો.
સુરતની દિલ્હી જતી ફલાઇટ રદ થતાં મુસાફરો અટવાયા
સવારે 2 ફલાઇટ રદ કરવામાં આવતા મુસાફરોમાં રોષ
દિલ્હી તરફ જતા મુસાફરોનો એરપોર્ટ પર હંગામો
એક પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સુરતથી દિલ્હી જતી ફલાઇટ રદ્દ થતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયાં હતા. શહેરમાંથી સવારે બે ફલાઇટ રદ્દ કરવામાં આવતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. મુસાફરોમાં સવાલ હતો કે હજુ તો ગઇકાલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેરાત કરવામાં આવી અને આજે ફલાઇટ રદ્દ પણ થઇ ગઇ. ફલાઇટ રદ્દ થતાં દિલ્હી જતા મુસાફરોએ એરપોર્ટ પર હંગામો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાતના સુરત શહેરમાં આજથી ડોમેસ્ટિક ફલાઇટની સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે આજથી શરૂ થયેલી ઘરેલુ વિમાની સેવામાં સવારની બે ફલાઇટ રદ્દ કરવામાં આવતાં મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો.
આમ આજે સુરતમાંથી માત્ર 2 ફલાઇટનું આવન-જાવન જોવા મળશે. જેમાં એક ફલાઇટ ઇન્ડિગોની જે દિલ્હીથી સુરત આવશે. ત્યાર બાદ સુરતથી દિલ્હી પરત ફરશે. આ સાથે સ્પાઇસ જેટની હૈદરાબાદથી ફલાઇટ સુરત આવશે અને સુરતથી હૈદરાબાદ જવા રવાના થશે.