સુરતના બારડોલી, માંડવી અને ઓલપાડમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું, બારડોલીમાં 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો
બારડોલી,માંડવી અને ઓલપાડમાં સ્વૈચ્છિક લોકડાઉન
3 થી 6 દિવસ સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન
વધતા સંક્રમણને લઈ વેપારી મંડળનો નિર્ણય
ગુજરાતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સુરતના બારડોલી, માંડવી અને ઓલપાડમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. બારડોલીમાં 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કરાયો છે. 13 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. જ્યારે માંડવી નગરપાલિકા વિસ્તારમાં 15 એપ્રિલથી 23 એપ્રિલ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે.
તો ઓલપાડ ટાઉનમાં 16 એપ્રિલ થી 18 એપ્રિલ સુધી આમ ત્રણ દિવસ બંધ રહેશે. આવશ્યક ચીજ વસ્તુ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા સ્થાનિકોએ પણ સમર્થન આપ્યું છે. ત્યારે પ્રશાસને પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં સાવચેતી અને સલામતી સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે.
આ સાથે ઉપલેટામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ઉપલેટામાં વધતા કેસોને લઇને 15થી 18 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. ગુરુવારથી રવિવાર સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેર કરવામાં આવ્યું છે. નગરપાલિકા અને ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ચેઇન તોડવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે 30 એપ્રિલ સુધી સવારના 6થી 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.