સુરત શહેરના ફાયરબ્રિગેડની કામગીરી સામે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નવાઈની વાત છે કે, સુરત જિલ્લા પંચાયત પાસે પોતાનું કહી શકાય તેવું ફાયર બ્રિગેડ જ નથી. ત્યારે જિલ્લામાં કોઈ આગની દુર્ઘટના સર્જાય તો નજીકના નગરપાલિકાના કે પછી સુરત મહાનગર પાલિકાની ફાયર ટીમની મદદ લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પંચાયતમાં અસંખ્ય ઔદ્યૌગિક વસાહતો અને એકમો આવેલા છે. જેમાં અનેક ડાઈંગ કેમિકલના યૂનિટ પણ આવેલા છે. પણ નવાઈની વાત છે કે જ્યારે કોઈ આગ દુર્ઘટના થાય તો મનપાના ફાયર વિભાગની મદદ લેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.
આવી ઘટનામાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં ભારે નુકસાન થઈ જતુ હોય છે. ત્યારે આ મામલે સુરત જિલ્લા પંચાયતના જાગ્રત સભ્ય દર્શન નાયકે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.