સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકો એકઠા થવાનો મામલે આજે એક પછી એક ખુલાસા આવી રહ્યા છે લોકો પોતાને વતન જવા માટે ઉતાવળા થયા છે. એસ ટી વિભાગ દ્વારા રાજકારણ રમાતુ હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ છે આ મામલે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ ખુલાસો કર્યો હતો.
બસ બુકિંગ બાદ સ્લીપ ન અપાઇ હોવાનો રત્નકલાકારોનો આક્ષેપ
એસટી વિભાગ દ્વારા રાજકારણ થતું હોવાનો આક્ષેપ
આક્ષેપોને લઇ મંત્રી કુમાર કાનાણીએ આપ્યો જવાબ
સુરતમાં ડાયમંડ એસોસિએશન ખાતે લોકો એકઠા થવા મામલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ જવાબ આપ્યો. બસ બુકિંગ બાદ સ્લીપ ન અપાઇ હોવાનો રત્નકલાકારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
શું કહ્યું આરોગ્યયમંત્રી કુમાર કાનાણીએ?
આક્ષેપોને લઇ મંત્રી કુમાર કાનાણીએ કહ્યું કે બસ મામલે કોઈ પ્રકારની ધાંધલી નથી થઇ. ડેટા એન્ટ્રી મોડી થવાથી બસ આપવામાં મોડું થયું છે. અને 13 તારીખ સુધી આ 1150 બસો રવાના કરાશે. કુમાર કાનાણીએ કહ્યું કે ડાયમંડ એસોસિએશન દ્વારા મંજૂરી લેવામાં મોડું થયું છે. ત્યારે હવે 5 જેટલા સેન્ટરો પર ડેટા એન્ટ્રીની વ્યવસ્થા ગોઠવાઇ છે. અને બેથી ત્રણ દિવસમાં બસો મળી જશે.
સુરતમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો એકઠાં થયા
સુરતમાં મોટી સંખ્યામાં રત્નકલાકારો ડાયમંડ એસોસિએશન ખાતે એકઠા થયા છે. ડાયમંડ એસોસિએશન દ્વારા રત્ન કલાકારોને કોઇ સ્લીપ નથી અપાઇ. બસ બુકિંગ બાદ પણ સ્લીપ ન અપાતા રત્નકલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ રત્નકલાકારો માટે બસની સુવિધા કરવા પરવાનગી આપી છે.
એસટી વિભાગ દ્વારા રાજકારણ કરાતું હોવાનો આક્ષેપ
એસટી દ્વારા ડાયમંડ એસોસિએશનને પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રત્નકલાકારોએ ફોર્મ ભર્યા બાદ પણ જવાબ નથી મળી રહ્યો. લોકોએ વતન જવા 7 તારીખે ફોર્મ ભર્યા હતા. જો કે હજુ પણ જવાબ ન મળતા રત્નકલાકારો રોષે ભરાયા છે. અને એસટી વિભાગ દ્વારા રાજકારણ કરાતું હોવાનો આક્ષેપ કરાયો છે.