ગુજરાતમાં કોરોનાના પ્રકોપને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને સુરતના રત્નકલાકારો માટે રાજ્ય સરકારે વતનમાં જવા અંગે મંજૂરી આપી હતી. તેની સાથે સરકારે સૌરાષ્ટ્રમાં જવા માટે રત્નકલાકોર માટે એસટી બસોની પણ મંજૂરી આપી છે. જેને લઇને સુરતમાં આજરોજ રત્નકલાકારો આજે ટિકિટ બુકિંગ માટે લોકોની લાંબી કતારો જોવા મળી છે.
સુરતમાંથી સૌરાષ્ટ્ર જવા રત્નકલાકારો ઉમટ્યા
ટિકિટ બુકિંગ માટે લોકોની લાગી લાંબી કતારો
ST બસની સુવિધા ઉપલબ્ધ કરાવતા લોકોમાં ખુશી
સુરતમાંથી સૌરાષ્ટ્ર જવા રત્નકલાકારો ઉમટી પડ્યા છે. ડાયમંડ એસોસિએશન પર લોકો ઉમટ્યા છે. જેમાં રત્નકલાકારોની ટિકિટ બુકિંગ માટે લાંબી કતારો જોવા મળી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે આજથી બસ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાંથી 10 લાખ કરતા વધુ સૌરાષ્ટ્રવાસીઓ વતન જશે. ST બસની સુવિધા ઉપલબ્ધ કરાવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. શહેરમાં બુકિંગ સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે બુકિંગ શરૂ થયું છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાત માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડાયમંડ એસોસિયેશન પર 10થી વધુ બુકિંગ કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે સુરતના રત્નકલાકારોને પોતાના વતનમાં જવાની આપેલી મંજૂરી બાદ ખાનગી બસને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે ગઇકાલે રાજ્ય સરકારે તરફથી રાહતના સમાચાર આવ્યાં હતા. જેમાં રાજ્ય સરકારે રત્નકલાકારોને સૌરાષ્ટ્રમાં જવા માટે GSRTC બસની મંજૂરી આપી હતી.
સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના રત્નકલાકારોને વહારે રાજ્ય સરકાર આવી હતી. શહેરના રત્નકલાકારોને પોતાના વતનમાં જવા માટે અગાઉથી જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે રત્નકલાકારોને પોતાના વતનમાં મોકલવાને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે એસટી બસની મંજૂરી આપી દીધી હતી.
સુરતથી વતન જનારા માટે નિયમ શું?
સુરતથી સૌરાષ્ટ્રવાસીઓ તેમના ગામોમાં જઇ શકશે
સુરતથી લોકો નીકળે ત્યારે સ્ક્રિનિંગ કરાશે
વતનમાં પણ મેડિકલ ચેકઅપ કરાશે
બીમારીના લક્ષણ ધરાવાતા લોકોને નહીં મોકલવામાં આવે
સુરતથી જનારાને 14 દિવસ ક્વોરોન્ટાઈન થવુ પડશે
સુરતથી સૌરાષ્ટ્ર જતા શ્રમિકો માટે ક્વોરોન્ટાઈન ફરજિયાત છે