ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર સતત યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે હવે સુરત શહેરમાંથી હીરા ઉદ્યોગને લઇને માંઠા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર છેલ્લા 21 દિવસમાં શહેરમાં અંદાજે 250 રત્નકલાકારો કોરોના વાયરસનો ભોગ બન્યાં છે.
સુરતમાં હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી વધી
21 દિવસમાં 250 રત્ન કલાકારો બન્યા ભોગ
કતારગામ ઝોનમાં 157 રત્નકલાકારો કોરોના પોઝિટિવ
સુરતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રત્નકલાકારો વધુમાં વધુ કોરોનાની ઝપેટમાં આવતા હીરા ઉદ્યોગ માટે મુશ્કેલી ઉભી થઇ છે. છેલ્લા 21 દિવસમાં 250 રત્ન કલાકાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
કતારગામ ઝોનમાં 157 રત્ન કલાકારાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 38 રત્ન કલાકરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હીરા ઉધોગ ચિંતામાં મૂકાઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાતે આઠ વાગ્યા સુધીના આંકડા પર નજર નાંખીએ તો ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતાં. જેમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 580 પોઝિટિવ નોંધાયા હતા. જેમાં સુરત માટે સૌથી ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. સુરતમાં કોરોનાનાં 176 કેસો નોંધાયા હતા.
જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મોત નિપજ્યાં અને 655 દર્દીઓ સાજા થયા હતા. ગઇકાલ રાત 8 વાગ્યા સુધીના આંકડાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસો પર નજર કરીએ તો, અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા હતા.
આ ઉપરાંત જામનગરમાં 8 કેસ તો રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ અને અમરેલીમાં 4-4 કેસ નોંધાયા હતા. આમ, રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 27 હજાર 317 પર પહોંચ્યો હતો. ગુજરાતમાં હાલ કોરોનાનાં કુલ એક્ટિવ કેસોનો આંક 6 હજાર 296 છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર અને 6 હજાર 237 દર્દીઓની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 હજાર 664 મૃત્યુ થયા છે.