સુરત: સરકાર દ્વારા દેશભરમાં GSTનો કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. જેના કારણે ઉદ્યોગ પર અસર જોવા મળી રહી છે. ત્યારે ડાયમંડ વેપારમા તેની અસર જોવા મળી છે.
ડાયમંડમાં GSTનો કાયદો લાગૂ કરવામાં આવતા ડાયમંડ ઉદ્યોગ પર અસર જોવા મળી હતી. સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં ફાયનાન્સિયલ વર્ષ 2017-18માં 650 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ડાયમંડના વેપારીઓ દ્વારા GSTનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વેપારીઓ દ્વારા કાયદાનો વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ડાયમંડમાંથી GSTનો દર ઘટાડવામાં આવ્યો છે. ત્યારે હવે વેપારીઓમાં રાહત જોવા મળી છે.