સુરતમાં હીરા વેપારી સાથે ઠગાઈ , સેલ્સમેન તરીકે કામ કરતો કર્મચારી 1.16 કરોડના હીરા લઈ ફરાર
સુરતમાં હીરા વેપારી સાથે ઠગાઈ
1.16 કરોડના હીરા સાથે સેલ્સમેન ફરાર
પેઢીના સંચાલકે સરપ્રાઈઝ ચેકીંગ કરતા ભાંડો ફૂટ્યો
સુરતના મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મજુરાગેટના હીરા વેપારીએ દિલ્હીમાં હીરા વેચાણ માટે ભરત રાજપૂત નામના સેલ્સમેનને રાખ્યો હતો બનાસકાંઠાનો ભરત રાજપૂત વેપારીને ત્યાં ચાર વર્ષથી નોકરી કરતો હતો દિલ્હીમાં લોકડાઉન ખુલતા તે વતનથી પરત દિલ્હી જઈ ગણતરીના દિવસોમાં જ હીરા સેઈફમાંથી લઈ ગાયબ થઈ ગયો હતો ભરત રાજપુતે દિલ્હીના ત્રણ વેપારી પાસેથી પણ હીરા વેચવા લીધા હતા મહત્વનું છે કે ભરત રાજપૂતને દિલ્હી ખાતે સેલ્સમેન તરીકે 18 હજાર રૂપિયાના પગારે રાખ્યો હતો પગાર ઉપરાંત તેના ખાવા પીવાનો અને આવવા જવાનો ખર્ચ પેઢી તેને અલગથી ચૂકવતો હતો.
સુરતના હીરા વેપારી સાથે દિલ્હીમાં સેલ્સમેને કરી ઠગાઈ
મહત્વનું છે કે સુરતથી જે હીરા વેચવા દિલ્હી જતા તેને સુરક્ષીત રાખવા તેને સેઈફ વોલ્ટમાં રાખવામાં આવતા હતા અને તેની ચાવી ભરત પાસે હતી પરતું ગત 8 જૂનના રોજ દિલ્હીમાં લોકડાઉન ખુલ્યું તે અગાઉના 40 દિવસથી ભરત પોતાના ગામમાં જ રહેતો હતો. હીરાના વેપારીએ દિલ્હી જવા કહેતા તે બીજા દિવસે દિલ્હી પહોંચ્યો હતો. બજાર ચાલુ થતા વેપારીએ પેઢીમાંથી ટુકડે ટુકડે 140.37 કેરેટના 86 નંગ તૈયાર હીરા આંગડીયામાં દિલ્હી ખાતે ભરતને મોકલ્યા હતા.
1.16 કરોડના હીરા સાથે સેલ્સમેન ફરાર થયો
સુરતના મહિધરપુરા જદાખાડીમાં ઓફિસ ધરાવતા મજુરાગેટના હીરા વેપારીનો દિલ્હીમાં રહેતો સેલ્સમેન રૂ.1.16 કરોડના હીરા લઈ મકાન અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાનો ભરત રાજપૂત વેપારીને ત્યાં ચાર વર્ષથી નોકરી કરતો હતો અને દિલ્હીમાં લોકડાઉન ખુલતા વતનથી દિલ્હી જઈ ગણતરીના દિવસોમાં જ હીરા સેઈફમાંથી લઈ ગાયબ થઈ ગયો તે પહેલા તેણે દિલ્હીના ત્રણ વેપારી પાસેથી પણ હીરા વેચવા લીધા હતા. જો કે 26 જુને હીરાના વેપારીએ દિલ્હીમાં સરપ્રાઈઝ વિઝીટ માટે જતા સમગ્ર ભાંડો બહાર આવ્યો હતો. તે બાદ સેલ્સમેન ભરતને વારંવાર ફોન કરવા છતા તેનો ફોન બંધ જ આવતા વેપારીએ સેઈફમાં વોલ્ટ ખોલાવ્યું તો તેમાંથી 63 હીરા અને ભરતો મોબાઈલ ફોન મળ્યો હતો
માહિધરપુરાની સંસ્કાર ડાયમન્ડ પેઢી સાથે થઈ ઠગાઈ
26 જૂને અશોકભાઈ દિલ્હીમાં સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા ત્યારે ભરતનો ફોન લાગ્યો નહોતો. અવારનવાર ફોન કરવા છતાં તેનો ફોન બંધ જ હોય અશોકભાઈએ સેઈફમાં જઈ વોલ્ટ ખોલાવ્યું તો તેમાં 63 હીરા અને ભરતનો મોબાઈલ ફોન મળ્યા હતા આમ સેલન્સમેન ભરત રૂ.1.16 કરોડની કિંમતના 37.28 કેરેટના 23 નંગ હીરા લઈ ફરાર થઈ ગયો જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે દિલ્હીના બજારમાં પણ તેની તપાસ કરાવ્યા બાદ આજદિન સુધી તેને લઈ કોઈ માહિતી મળી નથી ભરત રાજપૂત વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવી પોલીસે પણ આરોપી ભરતને શોધવા ચક્રોગતિમાન કર્યો છે.