સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી સુરતના હીરાબજારમાં જાણે ગ્રહણ લાગ્યું છે. સુરતના હીરા બજારમાં સતત બીજા દિવસે ત્રણ વેપારીઓએ 50 કરોડનું ઉઠમણું કરી લેતા હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે મહિધરપુરા હીરા બજારમાં ઓફિસ ધરાવતા વેપારીઓએ ઉઠામણું કરી લીધું છે.. એવી પણ માહિતી છે કે સાવલીયા અટક ધરાવતા વેપારીએ 25 કરોડનનું જ્યારે મુંબઈના બે વેપારીઓએ 10 કરોડ અને 15 કરોડમાં ઉઠમણું કરી લીધું છે.
આમ હિરા બજારમાં બે દિવસમાં 4 વેપારીઓએ ઉઠમણું કરી લીધું છે. જોકે ઉઠમણાં અંગે જાણ થતા જ મહિધરપુરામાં લેણદારો એકઠા થઈ ગયા હતા. પરંતુ એકપણ વેપારી મળ્યો નહીં.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ સુરતના હિરા બજારમાં દુબઇ સ્થિત જૈન વેપારીએ ઉઠમણું કર્યું હતું. જેમાં વેપારીનું 35 કરોડમાં ઉઠમણું થયુ હતું.
જેમાં સુરતના હિરા ઉદ્યોગકારોનાં નાણાં ફસાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. દુબઇનો આ વેપારી સુરતના અનેક વેપારીઓ પાસેથી હીરા ખરીદતો હતો. આ અગાઉ પણ હોંગકોંગમાં હિરાના વેપારીનું ઊઠમણું થતાં સુરત હિરા બજારના અનેક વેપારીઓના નાણાં ફસાયા હતા.
હોંગકોંગમાં હીરા વેપારીએ 35 કરોડનું ઉઠમણું કર્યું જેના કારણે મુંબઇ અને સુરતના અનેક વેપારીઓના નાણાં ફસાયા હતા.