દુનિયામાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેવામાં હવે કોરોના ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતને પણ બાનમાં લીધું છે. સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના કેસનો કુલ આંકડો 7828 પર પહોંચ્યો છે. ત્યારે હવે હીરાબજાર સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હીરાબજાર સ્વૈચ્છિક બંધનો રાખવાનો નિર્ણય
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
આંશિક લૉકડાઉનની લોકોની માંગ
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. ગઇકાલે સુરતમાં 251 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 205 અને સુરત જિલ્લામાં 46 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,828 પર પહોંચ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 4,843 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 215 દર્દીના મૃત્યુ થયા છે. ત્યારે હવે શહેરમાં અને શહેરના હીરા ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતા હીરા બજારના તમામ સેઈફ 6 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
હીરા ઉદ્યોગમાં કેસ વધતા 19 જુલાઈ સુધી હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ બંધ રહેશે. 20 જુલાઈથી આ હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.
આંશિક લૉકડાઉનની લોકોની માંગ
સુરત શહેરમાં વધતા જતાં કોરોનાના કારણે સુરવાસીઓની ચિંતા વધી છે. લોકો આંશિક લૉકડાઉનની માંગણી કરી રહ્યાં છે. તેમજ કોરોનાના સંક્રમણને નાથવા માટે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
કોરોનાને લઇ ટેક્સટાઇલ માર્કેટ બંધ કરવા નિર્ણય લેવાયો
સુરત શહેરમાં વધતા કોરોના કેસનો મામલે ટેક્સટાઇલ માર્કેટ 19મી જુલાઈ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે, આજથી(13 જુલાઈ)થી ટેક્સટાઇલ્સ માર્કેટ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. માર્કેટ કોરોનાની નવી ગાઇડલાઇન મુજબ ખુલવાની હતી તેમાં ઓડ ઇવન પદ્ધતિથી દુકાનો ખોલવાની પરવાનગી અપાઇ હતી. જો કે હવે આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે. હજુ 19મી સુધી માર્કેટ બંધ રહેશે.