ગુજરાતમાં આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ફરી શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં DEOએ તમામ શાળાઓને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો આદેશ કર્યો છે
સુરત DEOનો તમામ શાળાઓને આદેશ
સમૂહ પ્રાર્થના, રમત-ગમત જેવી પ્રવૃત્તિ ન કરાવી
ગાઈડલાઈનનો ભંગ થશે તો કાર્યવાહી કરાશે
કોરોના કાળમાં બંધ રહેલા શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે જેમાં ગુજરાતમાં આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8ના વર્ગો ફરી શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે સુરતમાં DEOએ તમામ શાળાઓને આદેશ કર્યો છે કે વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થના, રમત-ગમત જેવી પ્રવૃતિ ન કરવા માટે આદેશ કર્યો છે. અને જો કોવિડ નિયમનો ભંગ કરવામાં આવશે તો શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે.
2 સપ્ટેબરથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ થશે
મહત્વનું છે કે કોરોના કાળમાં આરોગ્યની સુવિધાઓને લઈ મુશ્કેલી સર્જાઈ હતી અને કોરોનાની બીજી લહેર બાદ બાળકોમાં ત્રીજી લહેરનો સૌથી વધુ ખતરો જોવા મળી રહ્યો છે તેવામાં લાંબા સમયથી બંધ શાળાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સુરત DEOએ તમામ શાળાઓને આદેશ કર્યા કહ્યું છે કે શાળામાં કોવિડ નિયમોનું ચુસ્તપણ પાલન કરવામાં આવે નહીંતર શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે
સુરત DEOનો તમામ શાળાઓને આદેશ
એટલું જ નહીં તમામ શાળાઓમાં વોચ રાખવા માટે અધિકારીઓની ટીમ પણ બનાવવામાં આવી છે આ ટીમ શાળાઓમાં જઈને સપપ્રાઈઝ ચેકિંગ કરશે. મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરથી 6 થી 8 ના વર્ગે શરૂ કરવામાં આવનાર છે જ્યારે અગાઉ 8 થી 12ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે શાળામાં ધોરણ 6 થી 12 સિવાયના વિદ્યાર્થીઓને બોલાવી શકાશે નહીં તેવો આદેશ પણ DEO દ્વારા કરવામાં આવ્યો છે.