સુરત / શું કોરોનાથી સરકારના આંકડા કરતા પણ વધુ મોત થયા ? આંકડાઓમાં આટલો તફાવત કેમ ?

સુરતમાં કોરોનાથી મૃત્યુના આંકડાને લઇને વિવાદ સર્જાયો છે. સ્મશાનની યાદી અને મનપાના મૃત્યુઆંકમાં પણ ફેરફાર છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ સાડા ત્રણ મહિનામાં 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સ્મશાનની યાદી મુજબ 625 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે મનપાની યાદીમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 195નો છે. સુરત મનપાની યાદી અને સરકારની યાદીના આંકડાઓમાં તફાવત છે. સરકાર મૃત્યુઆંક છુપાવતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. છેલ્લા 10 દિવસમાં જ 200 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ