સુરતમાં પોલીસની કસ્ટડીમાં આરોપી ઓમપ્રકાશનું મોત બાદ હવે તેમના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાશે. પરિવારજનો દ્વારા આજે મૃતદેહનો કબ્જો લેવામાં આવશે. હાલમાં ઓમપ્રકારનો મૃતદેહ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આજે પરિવારજનો દ્વારા ઓમપ્રકાશનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સોમવારે ઓમપ્રકાશના અંતિમ સંસ્કાર થવાના હતા. જોકે ઓમપ્રકાશના ભાઈને જામીન ન મળતા અંતિમ વિધી કરાઈ ન હતી. ત્યારે આજે ઓમપ્રકાશનો અંતિમ સંસ્કાર કરાશે.
મહત્વનુ છે કે, ઓમપ્રકાશને પોલીસકર્મીઓ ચોરી કરવાના મામલે પોલીસ સ્ટેશનમાં લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ માર મારતા ઓમપ્રકાશનું મોત થયુ.. રવિવારે ઓમપ્રકાશનુ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યુ હતું. પીએમ રિપોર્ટમાં ઈજાના કારણે મોત થયુ હોવાનુ સામે આવ્યુ છે.. આ મામલે પોલીસ ઈન્સપેક્ટર ખીલેરી, પોલીસ સબ ઈન્સપેક્ટર ચૌધરી સહિત 8 પોલીસકર્મીઓ સામે ફરિયાદ થઈ છે.
આ મામલે પોલીસ ઈન્સપેક્ટર સહિત 8 લોકો સામે ફરિયાદ થઈ છે. ફરિયાદ થતા PI ફરાર થયો છે. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરાર PI એમ.બી.ખિલેરીને શોધવા માટે લુટઆઉટ નોટીસ જાહેર કરાઈ છે. તમામ ફરાર આરોપી પોલીસકર્મીઓ સામે લુટઆઉટ નોટીસ જાહેર કરાઈ છે. સાથે જ આરોપી પોલીસ જવાનોને શોધી કાઢવા માટે દેશભરની પોલીસને એલર્ટ કરાઈ છે. જો આ આરોપીઓ વહેલી તકે સરેન્ડર નહી કરે તો મિલકત જપ્તી સુધીના પગલા પણ લેવામાં આવશે.