સુરત કોવિડ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કોરોના ન હોવા છતા એક મહિલા દર્દીને વોર્ડમાં રખાયા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો.
મળતી માહિતી મુજબ 10 દિવસ પહેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારને ગતરોજ દર્દીના મોતની જાણકારી આપવામાં આવી. છેલ્લા ત્રણ દિવસ બેભાન અવસ્થામાં સારવાર કરવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. હાઈ વેન્ટિલેટની જરૂર હોવા છતા લો વેન્ટિલેટર અપાયું હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો. હોસ્પિટલની બેદરકારીને લઈને પરિવારે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.
સળગતા સવાલ
કેમ વારંવાર હોસ્પિટલો બેદરકારી દાખવે છે?
એક બેદરકારીને કારણે દર્દીનો જીવ જાય છે તે કેમ ભુલી જાઓ છો?
પરિવારે કરેલા આરોપના તથ્યની તપાસ થશે?
શું હાઈવેન્ટિલેટરની અછતના કારણે દર્દીનું મોત થયું?
હોસ્પિટલની બેદરકારી મોત માટે જવાબદાર છે?
સુરતના કોવીડ હોસ્પિટલ વધુ એક બેદરકરી સામે આવી, કોરોના ન હોવા છતાં દર્દીને કોરોના વોર્ડમાં રખાયાનો પરિવારનો આક્ષેપ#SURAT#Gujarat#COVID19
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 27, 2020
શું છે ઘટના?
સુરતના કોવીડ હોસ્પિટલ વધુ એક બેદરકરી સામે આવી
કોરોના ન હોવા છતાં દર્દિને કોરોના વોડમાં રખાયા
હોસ્પિટલની બેદરકારીથી દર્દિનુ મોત થયાનો પરિજનોનો આક્ષેપ
કોરોના વોર્ડમાં દાખલ કરી આપવામાં આવતી હતી સારવાર
10 દિવસ પહેલા સારવાર માટે મહીલાને દાખલ કરાયા હતા
મહિલાના પરીવારને ગતરોજ જાણકારી આપવામાં આવી
3 દિવસ સુધી બેભાન અવસ્થામાં કરવામાં આવી હતી સારવાર
શ્વાસની તકલીફમાં વેન્ટિલેટર હાઇ રાખવાની બદલે લો પર રખાયુ
વેન્ટીલેટર યોગ્ય રીતે ન રખાતા મોત થયાનો પરિજનોનો આક્ષેપ
હોસ્પિટલની બેદરકારી લઈએં પરિવારજને વીડિયો કર્યો વાયરલ