સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. દુષ્કર્મ પીડિતાએ જ આરોપીને જામીન અપાવ્યા. એજ પીડિતા કે જેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ તેના આરોપીને જ તેણે નિવેદન આપતા સુરત કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે. આવી ઘટના તો પહેલીવાર જોવા મળી કે પીડિતાએ જ આરોપીને જામીન અપાવ્યા હોય ત્યારે આવો જાણીએ કે એવું તો શું નિવેદન આપ્યુ છે કોર્ટે આરોપીને જામીન આપવા પડ્યા.
પીડિતાએ જ આરોપીના જામીન માગ્યા
વાત જાણે એમ છે કે સુરત કોર્ટમાં 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મનો કેસ ચાલતો હતો. આ મામલે પોલીસે આરોપીને દબોચી પણ લીધો હતો. પરંતુ હવે પીડિતાએ જ આરોપીને જામીન આપવા કહ્યું. તેણે કબૂલ કર્યુ કે તે પોતે જ આરોપીની સાથે ગઇ હતી. બંને એકબીજાને પ્રેમ પણ કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો પરંતુ પીડિતાએ કોર્ટમાં સ્વીકાર કરતા કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા. મહત્વનું છે કે કતારગામ પોલીસ સ્ટેશનમાં 17 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો.
પાંડેસરામાં દુષ્કર્મની ઘટના
મહત્વનું છે કે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. નાની બાળકી હોય કે પછી મહિલા, નરાધમોની હેવાનિયતનો ભોગ બને છે. થોડા દિવસો પહેલા જ સુરતના પાંડેસરાની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 21 વર્ષીય વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. વળી મારી નાંખવાની પણ ધમકી આપીને બળજબરી કરી હતી. કિશોરીની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.