ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મનપા દ્વારા કોરોનાને નાથવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાને SMC દ્વારા 'Ask A Mask' અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં મનપા કમિશ્નર દ્વારા માસ્ક વિશે સમજ આપવામાં આવશે.
કોરોના પર કાબૂ મેળવવા કવાયત
SMCએ શરૂ કર્યું 'ASK A MASK'
મનપા કમિશન માસ્ક માટે કરશે અપીલ
ગુજરાતમાં કોરોનાને લઇને સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ હોય તો તે અમદાવાદ અને સુરતની છે. આ બંને શહેરોમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરતમાં કોરોનાને નાથવા મનપા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
SMC દ્વારા 'Ask A Mask' અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં શહેર મનપાના કમિશ્નર માસ્ક વિશે સમજ આપશે. કમિશ્નરે લોકોને જણાવશે કે હાલ કોરોનામાં માસ્ક જ બ્રહ્માસ્ત્ર છે.
સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રી બંછાનિધી પાનીની જનતાને અપીલ જે લોકો જાહેરમાં માસ્ક વિના દેખાય તેઓને સહુની સલામતી માટે માસ્ક પહેરવા વિનંતી કરો. નમ્રતાથી પૂછો, મક્કમતાથી પૂછો #AskAMask સુરત મહાનગરપાલિકાનું મિશન #CoronaKoHarana
मास्क नहीं तो टोकेंगे, कोरोना को रोकेंगे। pic.twitter.com/KNAE4n6Bp3
સુરત મનપા કમિશ્નર દ્વારા સ્લોગન આપવામાં આવ્યું કે 'માસ્ક નહીં તો ટોકીશું, કોરોનાને રોકીશું.' શહેરમાં હાલ કોરોનાને લઇને સ્થિતિ ગંભીર હોવા છતા લોકો માસ્ક પહેરતાં નથી. બીજી તરફ માસ્ક ન પહેરવા આકરો દંડ છે ત્યારે પણ હજુ ઘણા લોકો માસ્ક વગર જોવા મળી રહ્યાં છે. ત્યારે હવે મનપા સોશિયલ મીડિયાથી લોકોને માસ્ક માટે અપીલ કરાશે.