ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરત શહેરમા જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરત શહેરની વાત કરીએ તો કોરોનાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. આજે મંગળવારે બપોર સુધીની વાત કરીએ તો ગ્રામ્ય અને શહેરમાંથી કુલ 233 નવા કેસો નોંધાયા છે.
સુરતમાં કોરોનાના કેસનો આંક 6800 પર પહોંચ્યો
સુરત ગ્રામ્યામાં બપોર સુધીમાં 139 કેસ
સુરત શહેરમાં બપોર સુધીમાં 94 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો આંકડો સતત વધી રહ્યો છે. સુરત શહેરમાં કોરોનાના દર્દીઓનો આંક હવે અમદાવાદને પણ પાછળ રાખી રહ્યો છે. આજે મંગળવારે બપોર સુધીમાં જ નવા કેસની વાત કરીએ તો કુલ 233 સામે આવ્યાં છે.
જેમાં સુરત ગ્રામ્યમાંથી 139 કેસ જ્યારે શહેરની વાત કરીએ તો કુલ 94 કેસ સામે આવ્યાં છે. આમ ગ્રામ્ય અને શહેરના મળીને કુલ 233 કેસ સામે આવ્યાં છે. આમ સુરત સિટી અને જિલ્લામાં કુલ 6894 કેસ નોંધાયાં છે.
સુરતમાં વધતા કેસને લઇને અનેક વિસ્તારોમાં દુકાનો સીલ કરાઇ
સુરતમાં સતત કોરોના કેસ વઘી રહ્યાં છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા પણ એકશન મોડમાં આવી ગઇ છે. નિયમોનું પાલન કરતા દુકાનોને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. યોગીચોક વિસ્તારમાં શોપિંગ મોલની દુકાનો સીલ કરી દેવાઇ છે. સ્વસ્તિક પ્લાઝા અને એપલ સ્કવેરમાં પણ મનપા દ્રારા દુકાનો સીલ કરાઇ છે.