ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કેસો અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. સુરત શહેરમાં કોરોનાનું સંકટ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરમાં વધી રહેલ કોરોના સંકટ વચ્ચે વેપારીઓએ સ્વૈચ્છીક રીતે દુકાનોનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો છે. શહેરના દુકાનદારોએ 31 જુલાઇ સુધી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
સુરતમાં કોરોનાના કેસ વધતા વેપારીઓનો નિર્ણય
સ્વૈચ્છિક રીતે દુકાનોનો સમય ઘટાડાયો
31 જુલાઇ સુધી નિર્ણયનો અમલ કરાશે
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વેપારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરની દુકાનોનો સમય સ્વૈચ્છિક રીતે ઘટાડાવામાં આવ્યો છે. દુકાનદારો દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો 31 જુલાઇ સુધી અમલ કરવામાં આવશે.
શહેરના દુકાનદારો લેવાયેલા નિર્ણયમાં સ્ટેશનરી દુકાનો 9થી 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે મશીન ટુલ્સ, હાર્ડવેરની દુકાનો 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જ્યારે બિલ્ડિંગ મટીરિયલ દુકાનો 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સાથે હોલસેલ FMCG બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. જ્યારે સિરામીક દુકાનો, ઇલેક્ટ્રીક દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
રાજ્યમાં કોરોનાના સંક્રમણના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી સુરત શહેરમાં કોરોનાના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને તંત્ર પણ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના વેપારીઓ દ્વારા કોરોના સંકટ વચ્ચે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.