ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. જેને લઇને મનપાની બેદરકારી અને ચિંતામાં વધારો થયો છે. શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને હીરા બજાર સુપર સ્પ્રેડર્સ બની રહ્યાં છે. ત્યારે બહારથી STમાં આવતા મુસાફરોનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે.
સુરતમાં વધ્યું કોરોના વાયરસનું સંક્રમણ
નોન કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં વધ્યું કોરોનાનું સંક્રમણ
હીરા-ટેક્સટાઇલ બજારમાં પણ વધ્યુ સંક્રમણ
સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતા મનપાની બેદરકારી અને ચિંતામાં વધારો થયો છે. શહેરમાં નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધેલું જોવા મલી રહ્યું છે. શહેરના કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોનાને લઇને અસરકાર રીતે નિયમનું પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું છે.
જો કે આ સાથે શહેરના હીરા બજાર અને ટેક્સટાઇલ માર્કેટમાં ફણ કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના લારી-ગલ્લા અને ખાણીપીણી બજારમાં ભીડ તેમજ કાપડ બજારમાં જોવા મળતી ભીડ સામે તંત્રનું ભેદી મૌન જોવા મળ્યું છે.
સુરત શહેરના અઠવા, રાંદેર ઝોનમાં છેલ્લા 1 મહિનામાં ફરી સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. જો કે હવે મનપા દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં સર્વ શરૂ કરાશે.