ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસના ઇલાજમાં લેવામાં આવતા ઇંજેકશનની કાળાબાજરી જોવા મળી છે. કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઇંજેકશન જેની મુળ કિંમત 40 હજાર છે તેને 45 હજારમાં ખરીદી 50,000માં વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા ટોસિલિઝુમાબ ઇંજેકશનની સુરતમાં કાળાબજારી થઇ રહી છે. 40 હજારના ઇંજેકશનની 45 હજારમાં ખરીદી કરી 50 હજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. સાર્થક ફાર્મા અને ન્યુ શાંતિ મેડિસીન્સ દ્વારા કાળાબજારી કરવામાં આવી રહી છે.
એક તરફ કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધતા ઇંજેકશનની અછત સર્જાઇ છે. પરંતુ બીજી તરફ ઇંજેકશનની કાળાબજારી થઇ રહી છે. ડ્રગ કમિશનરે બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં બે ઇંજેકશન મળી આવ્યા છે. સાર્થક ફાર્માના માલિકે 40 હજારના ઇંજેકશનનું 57 હજારમાં વેચાણ કર્યું હતું.
સાર્થક ફાર્માએ ન્યુ મેડિસીન્સ ઇંજેકશન ખરીદ્યું હતું. ન્યુ શાંતિ મેડિસીન્સે અમદાવાદની કે.બી.વી ફાર્મા પાસેથી ખરીદી કરી હતી અને કે.બી.વી ફાર્માએ સિવિલના કર્મચારી ધનશ્યામ વ્યાસ પાસેથી ખરીદ્યુ હતું. આ સમગ્ર ચેઇન સામે કાયદા ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સળગતા સવાલ
આવી રીતે થશે કોરોનાનો ઈલાજ?
કોરોના સારવાર માટેના ઈંજેકશનની કાળાબજારી કેમ?
આરોગ્ય મંત્રી કહે છે મને ઈંજેકશન નથી મળતા, આ હદની લાચારી?
જો સરકાર જ લાચારી બતાવશે તો જનતા કયાં જશે?
કોરોના મહામારીમાં સરકાર દિવસે ને દિવસે લાચાર બની રહી છે?