ગુજરાતમાં કોરોનાના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાન દર્દીઓ અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે સુરત શહેરની પરિસ્થિતિ કોરોનાને લઇને વધુ કથળતી જોવા મળી રહી છે. શહેરમાં શુક્રવાર બપોર સુધીમાં શહેરમાં 75 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 38 કેસ સામે આવ્યાં છે. આમ સુરતમાં શુક્રવારે બપોર સુધીમાં શહિર સહિત ગ્રામ્ય વિસ્તારના કુલ 113 કેસ નોંધાયાં છે.
સુરત શહેર સહિત ગ્રામ્યમાં 113 કેસ નોંધાયા
સુરત શહેરમાં બપોર સુધીમાં 75 કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં 38 કેસ નોંધાયા
ગુજરાતમાં વધતા કોરોનાના સંકટ વચ્ચે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો શુક્રવાર બપોર સુધીમાં જ 113 પર પહોંચી ગયો છે. જેમાં શહેરમાંથી 75 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 38 કેસ નોંધાયા છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર વચ્ચે મોતના આંકડાનો મોટો તફાવત
આખુ વિશ્વ હાલ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ મહામારીના આંકડાઓનો ગુજરાતામાં ખેલ થતો હોય તેવું સ્પષ્ટ થયું છે. સુરત મહાનગરપાલિકા અને સરકારના મોતના આંકડાઓમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં મનપાની યાદીમાં 38 લોકોનાં મોત થયાં છે. જ્યારે રાજ્ય સરકારના આંકડામાં સુરતમાં છેલ્લા 5 દિવસમાં 17નાં મોત બતાવે છે.
27મી જૂને 3 લોકોના સુરતમાં મોત થયા જ્યારે રાજ્ય સરકારની યાદીમાં મૃત્યુઆંક 2 છે. 28મી જૂને મહાનગરપાલિકાની યાદીમાં 5નાં મોત, રાજ્ય સરકાર 2નાં મોત કહે છે. 29મી જૂનના મહાનગરપાલિકાના આંકડા અને રાજ્ય સરકારના આંકડામાં પણ મોટો ભેદ જોવા મળી રહ્યો છે. 30મી જૂનની પણ આવી જ સ્થિતિ સામે આવી રહી છે.
સુરતના કતારગામ અને વરાછામાં 7 દિવસ પાનના ગલ્લા બંધ રહેશે
સુરતમાં વધતા કોરોના વાયરસના કેસને લઇ સુરત મનપા કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે સુરતના કતાર ગામ અને વરાછામાં પાનના ગલ્લા બંધ થઇ જશે. આ બંને વિસ્તારમાં 7 દિવસ માટે પાનના ગલ્લા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જો સુરત શહેરમાં પાનના ગલ્લાઓ પર 4થી વધુ લોકો હશે તો બંધ કરી દેવાશે.